મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ, તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.

આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મંત્રીમંડળના સદસ્યો, વિધાનસભાના પદાધિકારીઓ, ધારાસભ્યઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ ડૉ. આંબેડકરજીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  • Related Posts

    FCRA મુદ્દે અમેરિકાને ભારતનો સ્પષ્ટ સંદેશ, ‘વિદેશી ફંડિંગનું નિયમન કરવું દરેક દેશનો અધિકાર’

    વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં પ્રસ્તાવિત સુધારાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા તેજ બની છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે FCRA સંબંધિત કાયદાકીય સુધારા ભારતનો સંપૂર્ણ આંતરિક મામલો છે અને તેના પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ભારતની સંસદને છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિશ્વના અનેક દેશોની જેમ અમેરિકા પણ પોતાના દેશમાં વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવા માટે કડક કાયદા ધરાવે છે. તેથી ભારત દ્વારા પોતાના કાયદામાં કરવામાં આવતા સુધારાઓ અંગે બહારથી કરવામાં આવતી ટિપ્પણીઓ યોગ્ય નથી. શું કહ્યું હતું અમેરિકાના સાંસદ રાઇલી મૂરે? અમેરિકાના પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પર FCRA સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત…

    FCRA સુધારા બિલને લઈને દેશ-વિદેશમાં ચર્ચા તેજ, જાણો શું છે આ કાયદો?

    કેન્દ્ર સરકાર વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં મહત્વપૂર્ણ સુધારા કરવાની તૈયારીમાં છે. સંસદમાં રજૂ થનારા FCRA સુધારા બિલને લઈને રાજકીય પક્ષો, વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચર્ચ, મસ્જિદ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને મળતા વિદેશી ફંડ અને તેનાથી ઉભી થયેલી મિલકતોને લઈને પ્રસ્તાવિત જોગવાઈઓ સૌથી વધુ ચર્ચામાં છે. સરકારનું કહેવું છે કે નવા સુધારાઓનો હેતુ પારદર્શિતા વધારવાનો અને વિદેશી ફંડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક સંગઠનો આ જોગવાઈઓને વધુ કડક ગણાવી રહ્યા છે. શું છે FCRA કાયદો? FCRA એટલે Foreign Contribution Regulation Act, જે ભારતમાં વિદેશી નાણાંના પ્રવાહને નિયંત્રિત કરતો કાયદો છે. આ કાયદો પ્રથમ વખત…