નોઈડામાં પગાર વધારા મુદ્દે હિંસક બબાલ: વાહનોમાં લગાવી આગ, પોલીસ સાથે ઘર્ષણ

ઉત્તર પ્રદેશના Noidaમાં પગાર વધારાની માંગણીને લઈને ખાનગી કંપનીના કર્મચારીઓનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. ફેઝ-2 વિસ્તારમાં આવેલી કંપની બહાર કર્મચારીઓએ તોડફોડ, આગજની અને પોલીસ સાથે ઘર્ષણ કરતા વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.

શરૂઆતમાં શાંતિપૂર્ણ, પછી હિંસા ફાટી નીકળી
મળતી માહિતી મુજબ, Samvardhana Motherson International Ltdના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લઈને સવારે મોટી સંખ્યામાં કંપની ગેટ પાસે એકત્ર થયા હતા. શરૂઆતમાં પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, પરંતુ થોડા જ સમયમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ઉશ્કેરાયેલા કેટલાક કર્મચારીઓએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અને અનેક વાહનોને આગને હવાલે કર્યા હતા.

પોલીસ પર પથ્થરમારો, ટીયર ગેસનો ઉપયોગ
પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. જોકે, પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરતા સ્થિતિ વધુ બગડી ગઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના ગોળાનો ઉપયોગ કરવો પડ્યો હતો. ત્યારબાદ વિસ્તારને સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.

સ્થિતિ કાબૂમાં, તપાસ શરૂ
હાલમાં પોલીસના જણાવ્યા મુજબ સ્થિતિ કાબૂમાં છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને હિંસા પાછળના કારણોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

 

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ.…