અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષકને રૂબરૂ મળી શકાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં ચૂંટણી નિરીક્ષક તરીકે GSPC, ગાંધીનગરનાં મેનેજિંગ ડાયરેક્ટર અવંતિકા સિંઘ ઔલખ (IAS)ની નિયુક્તિ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુસર આદર્શ આચારસંહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા ચૂંટણી સંબંધિત અન્ય કોઈ પણ પ્રશ્નો કે સૂચનો માટે સંબંધિત પક્ષો/ઉમેદવારો/મતદાતાઓ તેમને GSPC ભવન, ઉદ્યોગ ભવન પાછળ, સેક્ટર-11, ગાંધીનગર-382010 ખાતે રૂબરૂ મળી શકશે અથવા 7966701203 પર ટેલિફોનિક સંપર્ક કરી શકશે તેમ જણાવાયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

    ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

    ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન

    ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના…