અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી ફફડાટ: વન વિભાગ દોડતું થયું

ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહો અને દીપડાના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસના ગામોમાં સિંહ તથા દીપડાના આંટાફેરાના વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો જોવા મળ્યો હતો, જ્યારે નજીકના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ વન વિભાગની ટીમ સક્રિય બની છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો દેખાતા લોકોમાં ભય અમરેલી જિલ્લાના રાજુલા શહેરના આગરીયા જકાત નાકા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સન્યાસ આશ્રમ…

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…

રાજ્યના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ મામલે વન મંત્રી મોઢવાડિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે.…

સુરતમાં કાયદો-વ્યવસ્થાને આંચકો : ક્લાસ-1 અધિકારી સોનલ સોલંકી પર હુમલો, પોલીસ તપાસમાં રહસ્યખોળ

સુરતના અડાજણ વન વિભાગમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર 6 નવેમ્બરના સવારે હુમલો થયો હતો. કામરેજ નજીક કારમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી સોનલ સોલંકીનો માથામાં ગોળી લાગી હતી. ઇજાગ્રસ્ત RFO સાથે તેનો 4 વર્ષનો દીકરો પણ હતો. તેમને તરત સુરતની હોસ્પિટલમાં ખસેડીને ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં માથામાંથી બુલેટ કાઢી લેવામાં આવ્યો. પોલીસ તપાસ અનુસાર, સોનલ સોલંકી અને તેમના પતિ, નિકુંજ ગોસ્વામી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. તાજેતરમાં સોનલ સોલંકીએ નિકુંજ સામે જાસૂસી અને ભોગવટાના દાવા સાથે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ દિવસ પહેલા તેમની કારમાંથી GPS ટ્રેકર મળતા પોલીસએ નિકુંજની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેમનો મોબાઇલ બંધ જોવા મળ્યો હતો. પોલીસને શંકા CCTV ફૂટેજ અનુસાર, સોનલની કાર જોખા ગામ પાસેથી…

સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ, પોલીસે તપાસ શરૂ કરી

સુરત જિલ્લામાં આજે સવારની ગંભીર ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, સોનલ સોલંકી પોતાના બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા જતી હતી, એ દરમિયાન આ હુમલો થયો. ગોળીબાર પછી તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો અનુસાર, તેમની સ્થિતિ ચિંતાજનક છે. પોલીસ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ સોનલ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની કારમાં અજાણ્યો GPS ટ્રેકર લગાવાયેલો હોવાની વાત જણાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનલ સોલંકીનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે…

વડોદરા: પાર્કિંગ વિસ્તારમાં મગર દેખાતા ભારે ભયનો માહોલ, રેસ્ક્યૂ ટીમે પકડ્યો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટો વસવાટ હોવાને કારણે, શહેરના કેટલાક વિસ્તારોમાં મગરોનો દેખાવ સામાન્ય બન્યો છે. ત્યારે તાજી ઘટના હરણી-સમા લિંક રોડ ખાતેની પંચામૃત રેસિડેન્સીમાં બની, જ્યાં પાર્કિંગ વિસ્તારમાં 4 ફૂટનો મગર દેખાયો. સ્થાનિક રહીશોએ અચાનક મગરને જોઈ ભારે ભય અનુભવ્યો. મગર પહેલા એક ટૂ-વ્હીલર અને ત્યારબાદ એક કાર નીચે છુપાવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પાર્કિંગ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. લોકોનું એકઠું થવું અને મગરની અચાનક હરકતોએ હેરાનગીનો માહોલ સર્જ્યો. જાણ થતાં જ વડોદરા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. મગર કાર નીચે છુપાવવાના કારણે તેને બહાર કાઢવું મુશ્કેલ બન્યું. ટીમે મગરના ગળામાં ગાળિયો નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ મગરની ઊછળકૂદને કારણે રેસ્ક્યૂ ઓપરેશન થોડીવાર માટે અટકી ગયું. બાદમાં, ભારે જહેમત અને…

જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાન ઝડપાયા, જાણો વિગત

ગીરના જસાધાર રેન્જમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સિંહની ગેરકાયદેસર પજવણી (Lion Chasing) કરતા વેરાવળના ત્રણ યુવાનને વન વિભાગે ઝડપી પાડ્યા છે. માહિતી અનુસાર, બાબરીયા રેન્જના વન અધિકારીએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય શખ્સોને પજવણી કરતા ઝડપી લીધા અને તેમને જસાધાર રેન્જના RFOને સોંપ્યા હતા. મોબાઇલ તપાસતા ભાંડો ફૂટ્યો વનવિભાગે ત્રણે યુવકોના મોબાઇલ ચેક કરતા તેમાં સિંહની પજવણીના વીડિયો મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ વારંવાર જંગલ વિસ્તારમાં જઈ સિંહોની પજવણી કરતા અને વીડિયો શૂટ કરતા હતા. વન વિભાગે આ વિડીયો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યા છે. કાનૂની કાર્યવાહી અને રિમાન્ડ વન અધિકારીઓએ ત્રણે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં, તેમને જૂનાગઢ જેલમાં…