અમદાવાદ: અસલાલી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો વિગત

અમદાવાદ ગ્રામ્ય: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી કરવા તૈયાર થયેલા બુટલેગરોને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા છે. એક કન્ટેનર ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઈ છે, જેની બજાર કિંમત આશરે ₹32.70 લાખ થાય છે. દારૂની ખેપ ચોખાના કટ્ટાની નીચે છુપાવેલી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન RTO નંબર HR-55-AW-9486 ધરાવતો કન્ટેનર ટ્રક ઝડપાયો. ટ્રકમાં ચોખાના કટ્ટાઓની આડમાં 6300 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની ખેપ છુપાવવામાં આવી હતી. – મોટી બોટલ (750 મી.લી.) અને નાની બોટલ (180 મી.લી.) – કુલ કિંમત: ₹32,70,000 – ટ્રક સહિત મુદ્દામાલની કુલ કિંમત: ₹75,39,271.30 પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ અસલાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડી…

ST બસનો અકસ્માત: સાપુતારા-માલેગાંવ હાઈવે પર 37 મુસાફરોનો આબાદ બચાવ

સાપુતારા-માલેગાંવ નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યારે નાસિકથી કડી (અમદાવાદ) જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની ST બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ. ઘટના ઘાટ વિસ્તારમાં બની હતી, જ્યાં રસ્તો ઢાળવાળો અને જોખમભરો છે. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઇવરના સાહસના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઇવરની હિંમતભરી કામગીરીથી ટળી મોટી દુર્ઘટના જેમજ ડ્રાઇવરને ખબર પડી કે બસની બ્રેક કામ કરવી બંધ કરી ચૂકી છે, એમજ તેણે તરત સતર્કતા દાખવી હતી. ગભરાયા વિના તેણે બસને નિયંત્રણમાં રાખી ખાડાવાળી સાઇડ પર ઉતારી દીધી, જેથી બસ પલટી ન ગઈ અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી શકાયાં. સદનસીબે, કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો છે. ઈજાઓ…

ચાલુ કારમાં ભીષણ આગ: શહેરા-ગોધરા હાઇવે પર મોટી દુર્ઘટના ટળી, ચાર લોકોનો આબાદ બચાવ

આજ રોજ શહેરા-ગોધરા હાઇવે પર વાઘજીપુર ચોકડી નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જસ્નમાં ડ્રાઇવર સહિત ચાર લોકો સવાર હતા, પરંતુ ડ્રાઇવરની સતર્કતાથી ચારેય મુસાફરો સમયસર કારમાંથી બહાર નીકળી ગયા અને મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કાર હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં સમગ્ર કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ગાડીમાંથી ઉઠતી ધુમાડાની ગાઢ વાદળો અને ભયાનક જ્વાળાઓ જોઈને આસપાસના વાહનચાલકોમાં દહેશત પ્રસરી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તરત શહેરા પાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં જ આખી કાર ખાખ થઈ ચૂકી…

ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ આપતા મુખ્યમંત્રી, દરેક રોડ બનશે ચકાચક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વે ગુજરાતની જનતાને 7737 કરોડ રૂપિયાનું ભેટ સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક કામોની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 124 નવા રોડ અને પુલનાં કામો માટે વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. 9 હાઈસ્પીડ કોરિડોર માટે 5576 કરોડ ગુજરાતને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટ આપે તેવા 809 કિલોમીટર લંબાઈના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે રૂ. 5576 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યના છેવાડા સુધી પહોંચશે પકકા રસ્તાઓ મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજયના અંતિમ ગામડાઓ સુધી સારી કનેક્ટિવિટી આપતા મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનાવવામાં આવે. ક્યાં ક્યાં બનેશે નવા રોડ? અહિં કેટલીક મુખ્ય રુટ્સ છે જ્યાં નવા રસ્તાઓ બનશે: – બગોદરા – બોટાદ (92.23 કિ.મી.) – ₹67.43 કરોડ –…

હર્ષ સંઘવીએ આપી GSRTCના કર્મચારીઓને દિવાળી ભેટ, 10,000 રૂપિયાની તહેવાર પેશગી એડવાન્સ જાહેર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે. આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે. સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ 26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ…

અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના પરિવાર સામે આશરે રૂપિયા 6 કરોડના ઠગાઈના આરોપો સાથે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. શું છે આરોપ? આ આરોપ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તથા તેના માલિકોએ મિલકત વેચાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હોવા છતાં: – કાયદેસર દસ્તાવેજો આપ્યા નથી, – ઘણી મિલકતોમાં ડુપ્લીકેટ વેચાણ કરાયું છે, – ખરીદદારને કબજો આપવામાં આવ્યો નથી, – મિલકત પર બૅંક લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદમાં શું જણાવાયું? ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટીએ જણાવ્યું કે તક્ષશીલા એલિગ્ના સ્કીમ (એલીસબ્રિજ, અમદાવાદ) અંતર્ગત 6 ફ્લેટો માટે રૂ.…

હવામાન વિભાગે આગાહી કરી: દિવાળી અને નવા નૂતન વર્ષ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં દિવાળી અને નવા નૂતન વર્ષની ઉજવણીથી પહેલા, હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાત માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા જણાવી છે. ક્યારે અને ક્યાં? તારીખ: 20, 21, 22 ઑક્ટોબર, 2025 જિલ્લાઓ: ડાંગ, તાપી, નવસારી, વલસાડ અન્ય વિસ્તારો: 17 થી 20 ઑક્ટોબર દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ છુટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે અસર અને ચેતવણી તહેવારની ઉજવણી દરમિયાન વરસાદ આવે તો સમારોહ, પ્રવૃત્તિઓ, બહારના કાર્યક્રમો વિઘ્ન થઈ શકે છે. ગાજવીજ, વિજળી સાથે વરસાદની સ્થિતિમાં, છત્રીનો ઉપયોગ, પશુ-પક્ષીઓ માટે સુરક્ષા વ્યવસ્થા બળવાપૂર્વક રાખવી જોઈએ એગ્રિકલ્ચર ધરાવતા નિષ્ણાતોએ કહે છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જમીન નમી રાખવામાં મદદરૂપ પણ થશે, પરંતુ…

ગુજરાતના નવા મંત્રી મંડળ વિષે વિશેષ અહેવાલ, જાણો રહસ્યમય તથ્યો

ગુજરાત મંત્રીમંડળની પુનઃરચનાની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે આજે પરિપૂર્ણ થઈ છે. મંત્રીમંડળની પુનઃરચના માં કાર્યક્ષમતા. આવડત. શિક્ષણ. સિનિયોરિટી અનુભવ જેવા “સદગુણો”ના આધારે કરવામાં આવેલ નથી તેવું મંત્રીમંડળની યાદી પરથી જોઈ શકાય છે. મંત્રી મંડળની સોગંધવિધિ પૂરી થઈ ત્યાં સુધી ઋષિકેશભાઈ પટેલ કનુભાઈ દેસાઈ કુંવરજીભાઈ બાવળીયા પુરુષોત્તમભાઈ સોલંકી ના રાજીનામાં સ્વીકારેલા છે કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી મળવા પામેલ નહોતી અને તેમને સોગંદ વિધિમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવેલો નહોતો. અગાઉના મંત્રી મંડળ માના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ..ભાનુબેન બાબરીયા.. ડોક્ટર કુબેરભાઈ અને કેટલાકને પડતા મૂકવામાં આવેલા છે અને છ મંત્રીઓને રીપીટ કરવામાં આવે છે. જે મંત્રીઓને પડતા મૂકવામાં આવેલા છે તેને કેમ પડતા મૂકવામાં આવ્યા છે તેને કોઈ લેખાજોખા મળતા નથી!! બળવંતસિંહ રાજપૂત…

ગુજરાત કેબિનેટમાં નવા મંત્રીઓને ખાતાઓ ફાળવાયા, જાણો કોને ક્યું મંત્રાલય મળ્યું

ગુજરાતમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અને તેમાં મંત્રીઓને ખાતાઓ ફાળવણી કરવામાં આવી. આવતીકાલે (18 ઓક્ટોબર)થી નવા મંત્રીઓ પોતાના સંબંધિત વિભાગોનું પદભાર સંભાળશે. ક્રમ મંત્રીનું નામ હોદ્દો ફાળવાયેલા ખાતા 1 હર્ષ સંઘવી ઉપ મુખ્યમંત્રી ગૃહ, કાયદો અને ન્યાય; રમતગમત અને યુવા 2 કનુ દેસાઈ કેબિનેટ મંત્રી નાણા અને શહેરી વિકાસ 3 ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ 4 કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી શ્રમ અને રોજગાર 5 અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ; વિજ્ઞાન અને ટેક્નોલોજી 6 જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર 7 રમણ સોલંકી કેબિનેટ મંત્રી અન્ન અને નાગરિક પુરવઠો; ગ્રાહક સુરક્ષા 8 પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય; પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ 9 નરેશ પટેલ…

ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળનું વિસ્તરણ સંપન્ન, આ મંત્રીઓએ ન લીધા શપથ; જાણો શું છે કારણ

ગુજરાતમાં ફરી એક વખત ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.  આ સાથે જ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું સમગ્ર લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે.   કેબિનેટમાં નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રધુમન વાજા, રમણ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ  ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીએ રાજીનામું આપ્યું ન હોવાથી તેમણે શપથ લીધા ન હતા. કેબિનેટ  જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડીયા ડૉ. પ્રધુમન વાજા રમણ સોલંકી કનુ દેસાઇ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો  પ્રફુલ પાનશેરીયા મનીષા વકીલ ઈશ્વરસિહ પટેલ રાજ્યકક્ષા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા જયરામ ગામિત પ્રવીણ…