આજે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જયંતી, ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ૧૪૧મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3જી ડિસેમ્બર-1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન 1907થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન ૧૯૧૭થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન 1920માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો. તેઓ આઝાદીની લડતમાં અંત સુધી ગાંધીજીના અતિવિશ્વાસુ સાથીદાર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં તથા ખાદી પ્રચારના કામમાં પણ અથાગ પરિશ્રમ…
મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની…
રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું
ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…
Bhavnagar : અનેક હોસ્પિટલ ધરાવતા સમીપ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર
રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરથી વધુ એક આગની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલ સમીપ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. આ કોમ્પલેક્ષમાં ઘણી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે. આગની ઘટનાને લઈને 25-30 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ આગની ઘટના મામલે સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમા ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. આગ…
ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટ બેઠક: ચિંતન શિબિર, કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદી પર થશે મોટી સમીક્ષા
ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વહીવટી તંત્ર અને જનહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મુખ્ય ફોકસ આવનારી ચિંતન શિબિરની તૈયારીઓ, કૃષિ રાહત પેકેજની સમીક્ષા અને MSP પર ખરીદીની સ્થિતિ રહેશે. ચિંતન શિબિર અંગે પ્રસ્તુતીકરણ રાજ્યના મુખ્ય સચિવ કેબિનેટ સમક્ષ ચિંતન શિબિરની સંપૂર્ણ રૂપરેખા રજૂ કરશે. આ શિબિરનો હેતુ — – વહીવટી તંત્રને વધુ અસરકારક બનાવવું – આવનારી વિકાસ યોજનાઓ માટે દિશા નક્કી કરવી રાજ્યના સ્તરે નીતિ-નિર્ણય પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવાનો આ મુખ્ય પ્રયાસ માનવામાં આવે છે. કેબિનેટના મુખ્ય મુદ્દા: કૃષિ પર વિશેષ ધ્યાન 1. કૃષિ રાહત પેકેજની સઘન સમીક્ષા – તાજા કૃષિ રાહત પેકેજ અંતર્ગત રાજ્યભરમાંથી મળેલી અરજીઓની સ્થિતિની સમીક્ષા થશે. હેતુ એ છે કે: – પાત્ર ખેડૂતોને ઝડપથી…
કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન
કચ્છના રાપર વિસ્તારમાં રણના ખાડીરો અને અમરાપરથી શિરાંનીવાંઢ તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીઓનું વિશાળ જમાવડો જોવા મળ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આ નયનરમ્ય દ્રશ્ય દરેક વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન રણના વિસ્તારમાં વર્ષોથી ફ્લેમિંગો ઈંડાં મૂકી બચ્ચા ઉછેર કરે છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ વિસ્તાર મધ્ય એશિયાની ફ્લાયવેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ અને નિવાસ સ્થળ છે. સંખ્યામાં વૃદ્ધિ આ ક્ષેત્રમાં પાંચ વર્ષ પહેલા લગભગ 1 થી 1.25 લાખ સુરખાબ નોંધાયેલા હતા, જે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. વર્તમાન વર્ષમાં આ સંખ્યા વધુ વધી શકવાની શક્યતા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે…
રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી, ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી આપવાના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, રાજ્યમાં અને કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા અધિકારીઓને ‘પ્રોફોર્મા પ્રમોશન’ નો લાભ આપવામાં આવ્યો છે. આ બઢતીઓનો અમલ 1 ડિસેમ્બર 2025 થી તાત્કાલિક અસરથી શરૂ થયો છે. DG રેન્ક પર 2 અધિકારીઓને બઢતી 1. મનોજ શશિધર (IPS–1994) હાલમાં CBI માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા મનોજ શશિધરને DG રેન્કમાં પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે. 2. રાજુ ભાર્ગવ (IPS–1995) હાલમાં રાજ્યમાં ADGP (Armoured Units) તરીકે સેવાઓ આપી રહેલા રાજુ ભાર્ગવને DG (Armoured Units) તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની વર્તમાન પોસ્ટને પણ ‘ex-cadre DG’ તરીકે અપગ્રેડ કરવામાં…
2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, આ મતવિસ્તારમાં 100% ડિજીટાઈઝેશન સંપન્ન
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ તમામ જિલ્લાઓના ચૂંટણી અધિકારીશ્રી અને સ્ટાફ સાથે સંકલન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે પૈકી બે વિધાનસભા મતવિસ્તારમાં ડિજીટાઈઝેશનની કામગીરી 100 % પુરી થઈ ચુકી છે. જેમાં બનાસકાંઠાની ધાનેરા…
દુષ્કર્મ પીડિતાએ આસારામના જામીનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી, જાણો શું છે મામલો
આસારામને છ મહિનાના જામીન મળ્યા બાદ એક દુષ્કર્મ પીડિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ કરવાની માંગ કરી છે. આસારામ 2013ના દૂષક્રમ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 29 ઓક્ટોબરના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે તેમને સમાન સજા માટે છ મહિનાના જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધારે જામીન આપ્યા હતા. હવે, પીડિતાએ તેમના જામીન રદ કરવા માટે અરજી દાખલ કરી છે. રાજસ્થાન હાઈકોર્ટે આસારામને તબીબી સારવાર માટે છ મહિનાના જામીન આપ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે 6 નવેમ્બરના રોજ આ જ આધાર પર જામીન આપ્યા હતા. પીડિતાની અરજીમાં આસારામને જામીન આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. ન્યાયાધીશ ઈલેશ વોરા અને આરટી વાછાણીની બેન્ચે આસારામ (84) ને તેમની સારવાર માટે કામચલાઉ જામીન આપતા કહ્યું કે…
ગુજરાત પોલીસમાં મોટી ભરતી: PSIની 858 અને LRDની 12,733 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ 3 થી 23 ડિસેમ્બર સુધી
ગુજરાત પોલીસમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરમાં નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન અરજી કરી શકાશે. PSI કેડરમાં 858 જગ્યાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર PSIની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. – બિન હથિયારી PSI — 659 જગ્યાઓ – હથિયારી PSI — 129 જગ્યાઓ LRD (લોકરક્ષક) કેડરમાં 12,733 જગ્યાઓ LRD ભરતી માટે વિવિધ પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. કુલ 12,733 જગ્યાઓ નીચે મુજબ છે: – બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6,942 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 2,458 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) — 3,002 – જેલ સિપાઈ…
















