અમદાવાદઃ i-pass એપથી AMTS/BRTSમાં કન્સેશન પાસની સરળ પ્રક્રિયા શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) હવે વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી રહી છે. આ નવી સેવા 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ પહોંચાડશે. વિદ્યાર્થીઓ માટે સુવિધા અત્યારે, વિદ્યાર્થીઓને કન્સેશન પાસ મેળવવા માટે AMTSના સેન્ટરો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ નવી ઓનલાઈન વ્યવસ્થા દ્વારા હવે આ મુશ્કેલી દૂર થશે. AMTS આ સેવા AMCની ‘i-pass’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પૂરી પાડશે. વિદ્યાર્થીઓ: – એપ્લિકેશન પર ફોર્મ ડાઉનલોડ કરશે – જરૂરી પુરાવાઓ અપલોડ કરશે – OTP સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા પછી AMTSના અધિકારી પાસ મંજૂર કરશે – મંજૂરી મળ્યા પછી, વિદ્યાર્થી પોતાનો ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકે છે અને મુસાફરી દરમિયાન તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. ફિઝિકલ પાસની સુવિધા…

દેશી/વિદેશી દારૂ હાટડીઓ પર પોલીસ બેદરકાર, પત્રકારોની 14449 ફરિયાદ

B-india ટીમ, અમદાવાદ, 29 નવેમ્બર 2025 શહેરના પૂર્વ વિસ્તાર છેવાડાના નદીના પટની નજીકના પોલીસ સ્ટેશન હદમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ખબર B-Indiaના પત્રકારોના ખાનગી સ્ત્રોત પરથી મળી. અનુસંધાનમાં સ્થળ તપાસ અને સ્ટિંગ ઓપરેશન કરતાં સ્પષ્ટ થયું કે કાયદાનું ઉલ્લંઘન કરીને ધજાગરા ઉડાવી રહ્યા છે..અને મોટો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવા પહોંચેલા પત્રકારોને PSO પાસેથી મળ્યો એવો જવાબ કે ‘જે થાય એ કરી લો!’ આવી ઉદ્ધતાઈ ભાષામાં ફરજ પ્રત્યેની બેદરકારી! આ અપમાનજનક વર્તન સહન કરી ન શકાય તેવી સ્થિતિમાં પત્રકારોએ 14449 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી. આ ઘટના માત્ર એક સ્ટેશનની નથી, પોલીસ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતીક છે. દારૂના ધંધા પાછળ કોણ છે અને કોણ…

ગામડાનો વિકાસ હવે બનશે વધુ વેગવંતો, રાજ્ય સરકારે 15માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ કરી આટલા કરોડની ફાળવણી

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.741.90 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ, 15માં નાણાપંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. જાણો કેટલી થઈ ફાળવણી આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે. આ વહેંચણી મુજબ ગ્રામ પંચાયતોને 70 ટકા લેખે રૂ. 519.33 કરોડ, તાલુકા પંચાયતોને 20 ટકા લેખે રૂ.…

કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્ર કરશે નવી પાર્ટીની સ્થાપના ! કેમ ચર્ચાઓ થઈ શરૂ ?

ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેમના સંતાનો રાજકારણમાં એન્ટ્રી કરવા માંથી રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મુમતાઝ પટેલ ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાર બાદ તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચર્ચામાં આવ્યો. કોંગ્રેસ સાથેના સંબંધો બાદ પણ અન્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચાઓ થઈ. ત્યાર બાદ વર્ષ 2025ની શરૂઆતમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. અને હવે ફૈઝલ પટેલની પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે કોંગ્રેસ (AP) પાર્ટી બનાવવાનો વિચાર કરતી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસ (AP)માં જોડાય તેવી આશા વ્યક્ત કરી અને લોકો પાસે અભિપ્રાયો માંગ્યા છે. જુઓ બન્નેની…

નારાયણ સાંઈ વિરુદ્ધ વધુ એક FIR! જેલમાંથી મળ્યો મોબાઈલ ફોન; જાણો શું છે મામલો

ગુજરાતમાં દુષ્કર્મના દોષિત નારાયણ સાંઈ વિરુદ્ધ વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. સૂરજપુર જેલમાં તેના સેલમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ પ્રશાસને સચિન પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ નવી ફરિયાદ દાખલ કરી છે. જેલરના નામે જેલમાંથી પૈસા પડાવવાનો એક બનાવટી વ્યક્તિનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને જેલ ઇન્ચાર્જ દીપક ભાભોરને મળેલી માહિતીના આધારે, તેને પકડી લેવામાં આવ્યો અને દરેક સેલમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન, અલગ સેલના સેલ નંબર 1 માં એક મોબાઇલ ફોન મળી આવ્યો. ફોન દરવાજાની પાછળ ચુંબકીય રીતે જોડાયેલ હતો. બેગની અંદર એક સિમ કાર્ડ પણ મળી આવ્યું. પોલીસ અધિકારીઓએ ફોન જપ્ત કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નારાયણ સાંઈ મોબાઈલ બેટરી અલગથી છુપાવતો હતો. સલામતીના કારણોસર…

ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ આપી રહી છે. ઝુંબેશનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલવાના છે. ઝુંબેશના ભાગરૂપે, 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોટાભાગના જિલ્લાઓએ 100% ફોર્મ વિતરણનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. વિતરણ કરાયેલા ફોર્મમાંથી પરત મળેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં 81%થી વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. ડાંગ જિલ્લો 89.61% ડિજિટાઇઝેશન સાથે મોખરે છે. અન્ય ટોચના જિલ્લાઓમાં બનાસકાંઠા (84.99%) અને સાબરકાંઠા (84.18%)નો સમાવેશ થાય છે. ગણતરી દરમિયાન નોંધાયેલી મહત્વપૂર્ણ વિગતો: – 13.1 લાખથી વધુ અવસાન…

રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી

ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.” અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે.…

ખેડબ્રહ્મામાં આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો 11 મો પાટોત્સવ યોજાયો

ખેડબ્રહ્મા ,જયેશ ઠાકોર/ શૈલેષ પટેલ : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંજણા ચૌધરી સમાજની કુળદેવી અર્બુદા માતાજી નો 11 મો પાટોત્સવ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક યોજાયો. આજરોજ તારીખ 27-11-25 ને ગુરુવારના રોજ પટેલ માધાભાઈ શામળભાઈ સમાજ વાડીમાંથી સવારે 10:00 કલાકે અર્બુદા માતાજીની શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી. અર્બુદા માતા નો ફોટો સુંદર શણગારેલ રથમાં પ્રસ્થાપિત કરાયો હતો. આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને માં અર્બુદા ના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર. પટેલ, પૂર્વ સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ અર્બુદા…

ગુજરાત આવેલ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની મોટી જાહેરાત, હાઇવે માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ

કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે. નિતીન ગડકરીએ કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે. 20 હજાર કરોડની મળશે કેન્દ્રમાંથી સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ…

વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા

ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…