ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વક્ફને હવે ધાર્મિક ટ્રસ્ટો સમકક્ષ ગણાશે, કોર્ટ ફી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડને હિન્દુ ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે. હાઈકોર્ટનો નિર્ણય અને મહત્વ કોર્ટના આ ચુકાદા મુજબ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદાની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગતા નિયમો હવે વક્ફને પણ લાગુ પડશે. અગાઉ જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવાથી મુક્તિ મળતી હતી, જે હવે નહી રહેશે. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી સર્વસમાન લાગુ પડશે. વક્ફ શું છે? વક્ફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “રોકવું” અથવા “સાચવવું”. કાયદાકીય…
ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય
અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…
અમદાવાદ–ગાંધીનગર એલર્ટ: શાળાઓને બોમ્બની ધમકી બાદ સચિવાલયમાં સઘન ચેકિંગ, સુરક્ષા વધારી
અમદાવાદમાં આજે અનેક શાળાઓને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર સચિવાલયને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સચિવાલયમાં ચુસ્ત બંદોબસ્ત દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી મળતા તંત્ર સાવચેત બન્યું છે. રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. સચિવાલયની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારાયું છે. સુરક્ષાના ભાગરૂપે બહારના રસ્તાઓ પર ફૂલના કુંડા સહિતની વસ્તુઓ તપાસવામાં આવી રહી છે અને આવન-જાવન કરતા તમામ લોકોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર વિસ્તારમાં ખાનગી વાહનોનું પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. શાળાઓમાં સ્વૈચ્છિક…
સુરતમાં ડબલ મર્ડર કેસના આરોપી પર ફાયરિંગ, ઇજાગ્રસ્ત થયા બાદ કહ્યું “હવે નહીં ભાગું”
સુરતના ગોડાદરા વિસ્તારમાં ડબલ મર્ડર કેસના આરોપી શિવા ઉર્ફે શિવો ટકલા પર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસને ફાયરિંગ કરવું પડ્યું. આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેના પગલે પગમાં બે રાઉન્ડ ગોળી લાગી અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં આવતા શિવા ટકલા બોલ્યો કે, “સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું, મને છોડી દો.” અસલમાં શિવા ટકલા પર ગુજસીટોક, હત્યા સહિત ૧૦ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એક મહિના પહેલા જ તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. આરોપીએ રૂપિયા લેતીદેતીના મામલે ત્રણ યુવકોનું અપહરણ કર્યું, જેમાંથી બેની હત્યા કરી, ત્રીજા યુવકને મુક્ત કરાવ્યું. ડીસીપી આલોક કુમારએ જણાવ્યું કે આરોપીની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી હતી. રસ્તામાં વોમિટ થવાનો બહાનું બતાવતા, તે પથ્થર વડે…
લો-ગાર્ડન ખાતે 98 કરોડના ઓવરબ્રિજથી 1 લાખ વાહનોને મળશે ટ્રાફિકથી મુક્તિ
અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા લો-ગાર્ડનથી પંચવટી જંકશન અને ગીતા સર્કલથી સીએન વિદ્યાલય સુધી 780 મીટર લાંબો એલ-આકારનો ઓવરબ્રિજ બાંધવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 98.18 કરોડ રૂપિયા છે અને તે ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. ટ્રાફિક માટે રાહત – ઓવરબ્રિજ પૂરો થવાના પછી દરરોજ 1,50,000 થી વધુ વાહનો ટ્રાફિક જામમાંથી મુક્તિ મેળવશે. – રૂટ પર દરરોજ 69,000 ટુ-વ્હીલર, 31,000 ફોર-વ્હીલર અને 13,000 રિક્ષા પસાર થાય છે. – વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલ પર અટકવાની ઝંઝટથી મુક્તિ મળશે. કામની વિગતો – પુલની પહોળાઈ 17 મીટર છે અને તેને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. – બાંધકામ દરમિયાન આંબાવાડીથી સીએન વિદ્યાલય સુધીનો રસ્તો બંધ રહેશે. – વાહનોએ પાલડી બસ સ્ટેન્ડથી અંજલી ક્રોસ રોડ…
ગુજરાતમાં PUC ફીમાં ધરખમ વધારો, વાહનચાલકોના ખિસ્સા પર વધશે ભાર
ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વાહનો માટેના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) ની ફીમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. લાંબા સમય બાદ કરવામાં આવેલા આ વધારાથી હવે PUC કઢાવવું વધુ ખર્ચાળ બનશે. નવી જાહેરાત મુજબ, PUC ફીમાં રૂ.20 થી લઈને રૂ.50 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ટુ-વ્હીલરથી લઈને ભારે વાહનો સુધી તમામ કેટેગરીમાં લાગુ પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પર તેની સીધી અસર થવાની શક્યતા છે. નવી અને જૂની PUC ફી (રૂપીયામાં) વાહનનો પ્રકાર જૂની ફી નવી ફી વધારો ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર) 30 50 20 થ્રી-વ્હીલર (રિક્ષા) 50 60 10 ફોર-વ્હીલર (કાર) 80 130 50 ભારે વાહન (બસ/ટ્રક) 100 150 50 પ્રદૂષણ તપાસવું…
છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રી ના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 22માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ સત્વરે ખેડૂત આઇડીની નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. અહી થશે ખેડૂત નોંધણી આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર-CSC અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે…
ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાશે. જેમાં ગુજરાત ભાજપના સંગઠનને લઈને ચર્ચા થશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આજે દિલ્હી ખાતેની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ નવી ટીમમાં 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદેદારો અને ચારે ઝોન માંથી એક એક પ્રદેશ મહામંત્રીની નિમણૂકની ચર્ચાઓ ચાલી રહી છે. દિલ્હીથી મંજૂરીની મહોર બાદ કમુરતા પહેલા નામ જાહેર થવાની સંભાવના છે. ગુજરાત…
















