મોરબી બાર એસોસિએશન: જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી ચૂંટણીનું પરિણામ જાહેર

મોરબી બાર એસોસિએશનમાં આજથી જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીના પદ માટેની ચૂંટણી યોજાઇ અને પરિણામ જાહેર થયું છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ પદ બિનહરીફ થયા હતા. મતદાન વિગત આજની ચૂંટણીમાં કુલ 669 વકીલોમાંથી 519 વકીલોએ મતદાન કર્યું. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે બે ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. તેમાં, અતુલભાઈ ડાભીને 196 મત મળ્યા જ્યારે જીતેનભાઈ સોલંકીએ 299 મત મેળવીને જીત મેળવી. કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારોએ સ્પર્ધા કરી. પરિણામ મુજબ, કારોબારી પદ માટે વિજેતા ઉમેદવાર: – ઘનશ્યામભાઈ આદ્રોજા – 299 મત – પ્રદીપભાઈ કંઝારિયા – 246 મત – યોગેશભાઈ પારેજીયા – 232 મત – દેવીપ્રસાદ જોશી – 225 મત – અન્ય ઉમેદવારોને મળેલા મત: – હુસેનભાઈ કટારીયા – 180 – પ્રદીપભાઈ કાટીયા –…

મુસાફરો માટે નવી સુવિધા: GSRTCની બસમાં હવે ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકાશે

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા લાંબા રૂટની બસ મુસાફરીને વધુ સુખદ અને આરામદાયક બનાવવા માટે નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે ટ્રેનની માફક મુસાફરો એસ.ટી. બસમાં પણ ઓનલાઇન ફૂડ ઑર્ડર કરી શકશે. કેવી રીતે કામ કરશે નવી સેવા GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઓન ડીમાન્ડ ફૂડ’ સેવા માટે એજન્સીની નિમણૂંક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હાલનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના રાણીપ, સરખેજ, પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડ પહોંચાડવામાં આવશે. મુસાફરો ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ મારફતે જ ફૂડ માટે બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા પછી જ્યાં ફૂડ મેળવવું હોય ત્યાં પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક…

રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીમાં વધારો, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, 48 કલાક પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, આગામી બે દિવસ સુધી વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. ઠંડીમાં વધારાથી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. Follow us On Social Media…

રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ, 119 PIને ડીવાયએસપી બનાવવા તૈયારી

રાજ્ય પોલીસ દળમાં બઢતીને લઈને મહત્વની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને વર્ગ-1ના ડીવાયએસપી તરીકે બઢતી આપવા માટે પસંદગી યાદી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, શિસ્ત સંબંધિત વિગતો અને શૈક્ષણિક માહિતી મંગાવવામાં આવી છે. કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની માહિતી એકત્ર બઢતી પ્રક્રિયામાં પારદર્શકતા અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે ચાલી રહેલી અથવા પૂર્ણ થયેલી કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અંગેની વિગતવાર માહિતી સંબંધિત વિભાગોથી માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્તને આધારે બઢતી અંગે નિર્ણય લેવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે…

અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકા ટીમનું આગમન, આજે રમાશે T20 સીરિઝની નિર્ણાયક મેચ

અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ 19 ડિસેમ્બરના રોજ રમાનારી છે. આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલા આજે ગુરુવારે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી ચૂકી છે. સાંજના સમયે ભારતીય ટીમનું એરપોર્ટ પર આગમન થતાં ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજસેલ ટર્મિનલ ખાતે ટીમનું ઉષ્માભર્યું સ્વાગત ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ GUJSAIL (ગુજસેલ) ટર્મિનલ તરફ રવાના થયા હતા. પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ચાહકો એરપોર્ટ આસપાસ ઉમટી પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેલાડીઓને સીધા હોટલ સુધી લઈ જવામાં આવ્યા હતા. સીરિઝનો રોમાંચ ચરમસીમાએ પાંચ મેચોની આ રોમાંચક T20…

દેવગઢ બારીયા નજીક સર્જાયો ગંભીર અકસ્માત, પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા

વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઇવે પર આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને દમણ પ્રવાસેથી પરત ફરી રહેલી લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં એકસાથે પાંચ જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં લક્ઝરી બસનો પણ સમાવેશ થાય છે. ડમ્પરે અચાનક બ્રેક મારતાં સર્જાયો અકસ્માત પ્રાપ્ત માહિતી મુજબ, હાઇવે પર આગળ ચાલી રહેલા એક ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલા વાહનો નિયંત્રણ ગુમાવી બેઠા હતા. પરિણામે એક પછી એક વાહનો અથડાતા ચેઇન અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ સહિત કુલ પાંચ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. 10થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ અકસ્માત સમયે લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં…

ભાવનગર–વેરાવળ એસ.ટી. બસમાં વિદેશી દારૂ ઝડપાયો, લાઇન ચેકિંગ ટીમની કાર્યવાહી પ્રશંસનીય

ગીર સોમનાથ જિલ્લાના ભાવનગર–વેરાવળ રૂટ પર દોડતી એક એસ.ટી. બસમાં વિદેશી દારૂ ઝડપાતા હાઇએલર્ટ લાગ્યું છે. આ મામલો GSRTCની લાઇન ચેકિંગ ટીમ દ્વારા વેરાવળ નજીક નમસ્તે સર્કલ પર નિયમિત ટિકિટ ચેકિંગ દરમિયાન સામે આવ્યો. અકસ્માત અને તપાસ ભાવો ગરણી વિગતો પ્રમાણે, GJ-18 ZT 0439 નંબરની એક્સપ્રેસ એસ.ટી. બસમાં ચેકિંગ દરમ્યાન એક થેલો મળી આવ્યો હતો. થેલામાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો. પ્રાથમિક તપાસમાં આ દારૂ બિનવારસી હોવાનું જાહેર થયું છે. પોલીસની કાર્યવાહી GSRTC લાઇન ચેકિંગ ટીમે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. બાદમાં ઝડપાયેલ દારૂ વધુ તપાસ માટે પ્રભાસ પાટણ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે એસ.ટી. ડ્રાઈવર ઘેલાભાઈ મૂલુભાઈ વાધ દ્વારા પોલીસ મથકે અધિકારીક ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મહત્વ આ ઘટનાઓ લાઇન…

ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા તૈયારીઓ શરુ

સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત ગિરનારના તળેટી વિસ્તારમાં આગામી તા. 11 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. તેનું આયોજન મીની કુંભ તરીકે કરવામાં આવશે. તે માટે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મોડી રાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં જિલ્લાક્ષમીઓ, સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા. તડામાર તૈયારીઓ શરૂ જૂનાગઢ વહીવટી તંત્ર છેલ્લા દિવસોથી મેળાને ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, પાર્કિંગ ઉપલબ્ધ કરાવવું અને રવેડી રૂટનું આયોજન કરવું તે મુખ્ય કાર્યો છે. જિલ્લામાં જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ સાધુ-સંતો સાથે પણ બેઠક કરી તૈયારીઓને ઝડપ આપી હતી. મીની કુંભ તરીકે આયોજન મીની કુંભ તરીકે આ વર્ષના મહાશિવરાત્રી મેળામાં કલેકટર, કમિશ્નર, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને મહાદેવગીરી બાપુ,…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત

રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધી રાહત મળી છે. 5,330 કરોડથી વધુની સહાય સીધી બેંક ખાતામાં પ્રવક્તા મંત્રીના જણાવ્યા અનુસાર, આ બંને કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 23.18 લાખ ખેડૂતોના કુલ રૂ. 6,890.98…

વેરાવળમાં બે કાશ્મીરી યુવકો ઝડપાયા, પોલીસ પૂછપરછમાં વ્યસ્ત

ગીર સોમનાથના વેરાવળમાં પોલીસે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લીધો છે. વેરાવળના રામભરોસે ચોકમાં અનીસઉલ રહેમાન અને મહમદ અસલમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછીપરછ ચાલુ છે. અનીસઉલ રહેમાન ગુજરાત મદરેસા માટે પ્રથમ વખત ચંદો ઉઘરાવવા આવ્યો હતો, જ્યારે મહમદ અસલમ છેલ્લા પાંચથી છ વર્ષથી દર વર્ષે ચંદો ઉઘરવા આવતો રહ્યો છે. બંને યુવકો કાશ્મીરના પૂંછ જિલ્લાની મદરેસાઓ માટે ચંદો ઉઘરાવે છે. ચંદો સ્કેનર દ્વારા ઓનલાઇન ઉપાડી મદરેસાના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. પોલીસને મળેલ માહિતી મુજબ, બંને યુવકો પ્રથમ ડિસેમ્બરે કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ તેઓ કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ અને જેતપુરથી ચંદો ઉઘરાવતા વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળ પહોંચતાં પહેલા તેઓ બે દિવસ માંગરોળમાં રોકાયા હતાં. હાલ પોલીસ બંનેની તપાસ કરી રહેલી છે…