ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…
રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા
રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સાથે, આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી કુલ ₹4.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઓળખાણથી લઈને ફસાવવાની આખી કાવતરાખોરી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતીની શરૂઆત પ્રીતિ ઘેટીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પ્રીતિએ યુવતીનો પરિચય મુકેશ સોલંકી સાથે કરાવ્યો. બંનેએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને યુવતીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક આવેલા પ્રીતિના ફ્લેટ પર બોલાવી હતી. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ મુકેશ સોલંકી દ્વારા દુષ્કર્મ કરાયું હતું. ન્યૂડ ફોટા…
PM મોદીએ પાઠવ્યા અભિનંદન: અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળી ગયું
ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશને અભિનંદન પાઠવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષયને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,”મને આનંદ છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ખૂબ ઉત્સાહ સાથે ઉજવવા આતુર છીએ.” અમિત શાહે પણ અભિનંદન આપ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાના…
દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ અડધા થશે!, J.P. મોર્ગનની ચોંકાવનારી આગાહી
વિશ્વની અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક J.P. મોર્ગને ક્રૂડ ઓઇલ માર્કેટ અંગે એક મહત્ત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જે ભારત સહિત તમામ આયાતકાર દેશો માટે મોટી ખુશખબર સાબિત થઈ શકે છે. બેંકના નવા રિપોર્ટ મુજબ, આવતા દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ હાલના સ્તરથી અડધાથી પણ નીચે આવી શકે છે. હાલની સ્થિતિ હાલમાં બ્રેન્ટ ક્રૂડ $60–$65 પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. ભાવ ઘટાડાનાં મુખ્ય કારણો – પુરવઠામાં તીવ્ર વધારો J.P. મોર્ગન અનુસાર, 2025–2026 દરમિયાન વૈશ્વિક પુરવઠો માંગ કરતાં ત્રણ ગણો ઝડપી વધશે, જે સીધું ભાવોને નીચે ધકેલી શકે છે. – બિન-OPEC દેશોનો મોટો ફાળો ભવિષ્યમાં વૈશ્વિક ઓઇલ પુરવઠાનો 50% ભાગ OPEC બહારના દેશોમાંથી આવશે. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ અને આર્જેન્ટિના આ બે દેશોમાં શેલ ઓઇલ ઉત્પાદન…
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં
ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી. ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને…
કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી
ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…
ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન દ્વારા ‘સ્નેહ મિલન 2025’નું ભવ્ય આયોજન
ચાંદલોડિયા, વંદેમાતરમ, કે એન સીટી, ગોતા, ત્રાગડ, જગતપુર, ચેનપુર, ન્યૂ સાયન્સ સિટી અને માલાબાર વિસ્તારની 300થી વધુ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીના સંગઠન, ‘ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન’ દ્વારા આયોજિત વાર્ષિક ‘સ્નેહ મિલન 2025’ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. હિતેશ ઠક્કર (રાણા)ના નેતૃત્વ હેઠળ, આ સંપૂર્ણપણે બિન-રાજકીય સામાજિક સંગઠનના ઉપક્રમે ગોતા, વંદેમાતરમ્ રોડ સ્થિત આગમન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોએ એક છત નીચે એકઠા થઈને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં 1200થી વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને આ એસોસિયેશનની સામાજિક પ્રતિબદ્ધતા અને જનસમુદાયમાં તેની લોકપ્રિયતા દર્શાવી હતી. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના સહકારિતા અધ્યક્ષ, બિપીનભાઈ પટેલ ગોતા…
જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું બ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ…
જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી, અને 30 ગાડીઓના કાફલા સાથે રૂટનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત થનારા કામોની વિગતો જામનગર એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધીના રૂટ પર 30 જેટલી ગાડીઓના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવી. શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કુલ 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. – જામનગર મનપા: 33.89 કરોડના કામો – પશુપાલન વિભાગ: 13 કામો – માર્ગ અને મકાન વિભાગ: 64.03 કરોડના 34 કામો – પોલીસ વિભાગ: 20.36 કરોડનું 1 કામ – જિલ્લા આયોજન કચેરી: 0.09 કરોડનું 1 કામ – જિલ્લા ગ્રામ…
















