BCCIનું કડક વલણ, વિજય હજારે ટ્રોફી મામલે લીધો આ મોટો નિર્ણય
ભારતીય ક્રિકેટરો માટે ઘરેલુ ક્રિકેટ પર BCCI એ કડક વલણ અપનાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 24 ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીમાં તમામ વર્તમાન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓએ ઓછામાં ઓછી બે મેચ રમવાની રહેશે. 19 ડિસેમ્બરે અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ T20I અને 11 જાન્યુઆરી, 2026થી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી વચ્ચે લગભગ ત્રણ અઠવાડિયાનું અંતર છે. BCCI આ સમયગાળાનો ઉપયોગ તેના વરિષ્ઠ ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં સામેલ રાખવા માંગે છે. અજિત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ખેલાડીઓને આ સૂચનાઓ પહોંચાડી છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ કરવામાં આવેલી સમીક્ષાનો એક ભાગ છે, જેમાં તમામ ફોર્મેટમાં સ્થાનિક ક્રિકેટને પ્રાથમિકતા આપવાની ભલામણ કરવામાં આવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ તેમની…
BCCI શુભમન ગિલને કરી શકે છે પ્રમોટ, રોહિત શર્મા અને વિરાટ કોહલી પર સસ્પેન્સ
આગામી સમયમાં ભારતીય ક્રિકેટમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે. 22 ડિસેમ્બરે BCCI ની એક મોટી બેઠક યોજાવાની છે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને બઢતી આપવામાં આવી શકે છે. જોકે, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અંગેનું ચિત્ર હજુ અસ્પષ્ટ છે. શુભમન ગિલ હાલમાં ભારતની ODI અને ટેસ્ટ ટીમોના કેપ્ટન છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આગામી થોડા વર્ષો સુધી આ જવાબદારી નિભાવશે, પરંતુ તે પછી ઘણું બધું તેના પ્રદર્શન પર નિર્ભર રહેશે. દરમિયાન, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શુભમન ગિલને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની A-પ્લસ શ્રેણીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યાં હાલમાં ફક્ત ત્રણ ખેલાડીઓ છે.…
2025 માં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ ? જાણો વિગત
2025 નું વર્ષ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ સારું નહોતું. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં પાંચ મેચની શ્રેણી 2-2 થી ડ્રો સાથે પૂર્ણ કરી. જોકે, વર્ષના અંતે તેમને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન, 2025માં કયા ભારતીય બોલરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મોહમ્મદ સિરાજના નામે છે. સિરાજે આ વર્ષે 10 ટેસ્ટ મેચ રમી, 19 ઇનિંગ્સમાં 27.20 ની સરેરાશથી 43 વિકેટ લીધી. આ વર્ષે તેણે બે વાર પાંચ વિકેટ પણ લીધી. એક ઇનિંગ્સમાં તેનો શ્રેષ્ઠ આંકડો 70 રનમાં 6 હતો, જ્યારે એક જ મેચમાં તેનો શ્રેષ્ઠ આંકડો 190 રનમાં 9 હતો. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં જસપ્રીત બુમરાહ બીજા ક્રમે છે. બુમરાહએ…
IND vs AUS: જસપ્રીત બુમરાહ આજે રચશે ઇતિહાસ ! માત્ર બે વિકેટ લેતા જ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સીરિઝ ના અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી, જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી મેચ 4 વિકેટથી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં શાનદાર વાપસી કરી અને 5 વિકેટથી જીતીને સીરિઝ 1-1થી બરાબર કરી દીધી. હવે બંને ટીમો વચ્ચેની આ T20 સીરિઝ ની ચોથી મેચ 6 નવેમ્બરે ક્વીન્સલેન્ડના કેરારા ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે ખાસ સદી પૂર્ણ કરવાની તક હશે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે, અને હવે તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ લેવાથી માત્ર બે ડગલાં દૂર છે. બુમરાહ અત્યાર સુધીમાં…
જસપ્રીત બુમરાહ પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક, ચાર વિકેટ લેતા જ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ચાહકો નિરાશ થયા હતા. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ તે મેચમાં સારા ફોર્મમાં હતા. જોકે, બંને ટીમો વચ્ચેની બીજી T20 મેચ 31 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ચાર વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂર્ણ કરશે, જે આવું કરનાર માત્ર બીજો ભારતીય બનશે. અર્શદીપ સિંહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 101 વિકેટ લઈ ચૂક્યો છે. 2024 ના T20 વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું જસપ્રીત બુમરાહે 2016 માં ભારતીય ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી…











