કોહલી ફરી 0 રન પર આઉટ, વિરાટના વર્તનથી ચાહકો ચિંતિત… નિવૃત્તિ અંગે અટકળો તેજ
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ખૂબ જ નિરાશાજનક રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી વનડેમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. ચાહકોને બીજી મેચમાં કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ બંને મેચમાં કોહલી 0 રન પર આઉટ થયો પર્થમાં રમાયેલી પહેલી વનડેમાં, વિરાટ કોહલીએ 8 બોલનો સામનો કર્યો હતો પરંતુ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ઓસ્ટ્રેલિયાની ધરતી પર વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. બીજી વનડેમાં પણ કોહલીનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું. એડિલેડમાં, કોહલી માત્ર 4 બોલ રમ્યા પછી શૂન્ય રને પેવેલિયન પાછો ફર્યો. આ સાથે, તેણે ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો. વનડેમાં પહેલીવાર, કોહલી સતત બે મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો.…







