ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ખાસ રાહત, વહેલા પગાર ચુકવણીનો નિર્ણય
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વનો રાહતભર્યો નિર્ણય લીધો છે. ઓક્ટોબર-2025ના પગાર અને પેન્શનને વહેલું ચુકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી કર્મચારીઓ તહેવાર સારી રીતે મનાવી શકે. પગાર ચુકવણી પહેલાં થશે સામાન્ય રીતે સરકારી કર્મચારીઓનો પગાર માસના અંતે પછીના માસના પ્રથમ ત્રણ દિવસમાં આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે તહેવારને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર-2025ના પગાર અને પેન્શન 14, 15 અને 16 ઓક્ટોબર 2025ના રોજ તબક્કાવાર ચુકવવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્ય સરકારે 8 ઓક્ટોબર, 2025ના રોજ છઠ્ઠા અને સાતમા પગાર પંચના લાભાર્થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો આપવાનો નિર્ણય કર્યો હતો. સાતમા પગાર પંચ ધરાવતા કર્મચારીઓને 3% અને છઠ્ઠા પગાર પંચ ધરાવતા કર્મચારીઓને 5% વધારાનો લાભ 1 જુલાઈ 2025થી…
વાલી અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકારે કસ્યો શંકોજો
ગુજરાત રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ જાહેર કર્યું છે કે ટ્યુશન ક્લાસીસના સંચાલનમાં સુધારવા અને પારદર્શિતા લાવવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 8 સભ્યોની વિશેષ કમિટી નિમેલી છે. શિક્ષણ મંત્રીએ શું કહ્યું? શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ કહ્યું,“ટ્યુશન ક્લાસીસ પર નિયમન જરૂરી બની ગયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટતા રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. કમિટી ટૂંક સમયમાં પોતાનું કાર્ય શરૂ કરશે અને સરકારને અહેવાલ આપશે.” નોટિફિકેશન પણ થયું જાહેર શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભમાં અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ કાયદો વાલી અને વિદ્યાર્થીઓ બંને માટે રાહતભર્યો અને જરૂરી પગલું માનવામાં આવી રહ્યો છે. શા માટે જરૂર પડી? છેલ્લા…
સુરતમાં કિશોરે તેમની જ બહેનની હત્યા કરતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ
B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કર્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાળકીના મોત બાદ પીએમ રિપોર્ટ જોઈને પોલીસ સાથે પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હત્યારા કિશોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, મૂળ બિહારના વતની અને સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી બે સગી બહેનો સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. મોટી બહેનને ચાર દીકરીઓ છે જ્યારે નાની બહેનને બે દીકરા છે. મોટી બહેનના પતિ મહારાષ્ટ્રના પુણે ખાતે કામ કરે છે. જ્યારે નાની બહેનના પતિ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં…









