બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર ફરી હિંસા, જાહેરમાં વધુ એક યુવાનની નિર્મમ હત્યા
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હિંસા અને લિંચિંગની ઘટનાઓ ફરી વધી રહી છે. ગુરુવારે સુનામગંજ જિલ્લામાં 25 વર્ષના હિન્દુ યુવાન જૉય મહાપાત્રોનું જાહેરમાં નિર્મમ રીતે હત્ય કરવામાં આવી છે. ઘટનાનું વર્ણન: મહાપાત્રોના પરિવારના જણાવ્યા મુજબ, તેમને સ્થાનિક લોકોએ પહેલા ઢોર માર માર્યો અને ત્યારબાદ ઝેર આપ્યું. તેમને Silhet Osmani Medical College Hospital ના ICUમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા જ પીડિતે ચોરીની આશંકામાં ટોળાની પીછો થી બચવા માટે નહેરમાં કૂદી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો. તેમના મૃતદેહને ભંડારપુર ગામના પોલીસ સ્ટેશને કબજે લીધા. હત્યા પાછળના આરોપીઓ: પોલીસના જણાવ્યા અનુસાર, દીપુ ચંદ્ર દાસની લિંચિંગમાં મુખ્ય શંકાસ્પદ યાસીન અરાફાત છે, જેઓ ભૂતપૂર્વ શિક્ષક હતા. પોલીસે જણાવ્યું કે યાસીન અરાફાતે હત્યાનું આયોજન અને અમલીકરણ બંને…
PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ
સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા…
સુરત : દેશની પોલીસને ચકમો આપનાર ‘ઈરાની ડેરા’નો માસ્ટરમાઈન્ડ ઝડપાયો
દેશભરમાં છેલ્લા બે દાયકાથી પોલીસ અને તપાસ એજન્સીઓને હંફાવનાર કુખ્યાત ‘ઈરાની ડેરા’ ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે ઝડપાઈ ગયો છે. મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત ઓપરેશન હેઠળ લાલગેટ વિસ્તારમાંથી ઝડપી લીધો. રાજુ ઈરાની સામે દેશના 14 રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી, હિંસક હુમલા અને સંગઠિત ગુનાખોરીના અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ ઈરાની સુરતમાં નવી ગુનાખોરીને અંજામ આપવાના ઇરાદે આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાથી કોઈ હિંસા કે ગોળીબાર વિના તેને ઝડપી લેવામાં આવ્યો. મધ્યપ્રદેશના ભોપાલમાં ‘ઈરાની ડેરા’ નામના મુખ્ય અડ્ડામાંથી રાજુ ઈરાની દેશભરમાં ફેલાયેલી વિવિધ પેટા ગેંગને સંચાલિત કરતો હતો. ગેંગના સભ્યો પોલીસ અથવા CBI અધિકારીના વેશમાં લૂંટ કરતા, ક્યારેક સાધુ/બાવાના વેશમાં ઘરમાં…
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026: PM મોદી ૧૨ જાન્યુઆરીએ કરાવશે પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ
ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. 50 દેશોના 135 પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે. વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે ૨૫ હસ્તકલા સ્ટોલ…
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે. …
અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…
PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…
ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે. તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી…
હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું…
ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’
રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…















