દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

પોલીસે શેફઅલી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

તાઇવાનની આસપાસ ચીનની વધતી સૈન્ય ગતિવિધિથી તણાવ વધ્યો, ફાઇટર જેટ્સ અને યુદ્ધજહાજોની તૈનાતી

ચીન અને તાઇવાન વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તાઇવાનની આસપાસ ચીનની સૈન્ય ગતિવિધિઓમાં નોંધપાત્ર…

સમુદ્રમાં ભારતની તાકાત વધી: 3 સ્વદેશી અત્યાધુનિક યુદ્ધજહાજો ભારતીય નૌસેનામાં સામેલ

ભારતની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પગલા હેઠળ ભારતીય નૌસેનામાં ત્રણ નવા સ્વદેશી યુદ્ધજહાજો સામેલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં INS…