કતારના રાસ લફાન LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 13નાં મોત, અનેક ભારતીયો અસરગ્રસ્ત

કતરના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ઉત્પાદન કેન્દ્રોમાંથી એક એવા રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત 13 લોકોના મોત થયા છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે ભારતીય દૂતાવાસે પણ ચિંતા વ્યક્ત કરી છે.

બર્ઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં થયો અકસ્માત
કતરના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાસ લફાન એલએનજી કોમ્પ્લેક્સ હેઠળ આવેલી બર્ઝાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કતારના ઉર્જા મંત્રાલયે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો સારવાર હેઠળ છે.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટનાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો ગુમ હોવાની માહિતી પણ મળી રહી છે. ઘાયલ ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

ઉત્પાદન ફરી શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના
અહેવાલો મુજબ ઈરાની મિસાઈલ હુમલાના પ્રભાવ બાદ અસરગ્રસ્ત ગેસ ફેસિલિટીમાં કામગીરી ફરી શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કામકાજ દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

વૈશ્વિક ઉર્જા બજાર પર પડી શકે અસર
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મજબૂત બન્યા બાદ કતારે ગેસ ઉત્પાદન અને નિકાસમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે વૈશ્વિક ઉર્જા બજાર પર અસર જોવા મળી હતી. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બનતા એલએનજી નિકાસ ફરી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વિશ્વના સૌથી મોટા ગેસ ઉત્પાદકોમાં કતાર
સરકારી માલિકીની QatarEnergyના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે બર્ઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં કામ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. કતાર વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકોમાંનો એક દેશ છે અને રાસ લફાન વિશ્વના મહત્વપૂર્ણ એલએનજી હબ પૈકીનું એક ગણાય છે.

 

 

 

  • Related Posts

    અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

    ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…

    ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

    વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…