બિહારમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ, તેજસ્વી અને સમ્રાટ સહિત ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર

2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો પ્રથમ તબક્કો આજે ગુરુવારે શરૂ થયો. રાજ્યમાં 121 બેઠકો પર ગુરુવારે મતદાન થશે, અને ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 11 નવેમ્બરે 122 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. મતદાનના આ પ્રથમ તબક્કામાં ઘણા મોટા નેતાઓ ઉમેદવાર તરીકે મેદાને છે. અને તેમનું ભાવિ દાવ પર છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, “આજે બિહારમાં લોકશાહીની ઉજવણીનો પ્રથમ તબક્કો છે. હું વિધાનસભા ચૂંટણીના આ તબક્કામાં તમામ મતદારોને પૂરા ઉત્સાહથી મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, રાજ્યના મારા બધા યુવા મિત્રોને ખાસ અભિનંદન, જેઓ પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે. યાદ રાખો: પહેલા મતદાન કરો, પછી નાસ્તો કરો!” અહી…

આલેલે… બિહારમાં મતદાનના એક દિવસ પહેલા જ જન સૂરજ પાર્ટીના ઉમેદવાર જોડાયા ભાજપમાં, થઈ જોવા જેવી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી તરફ પહેલા તબક્કાના મતદાન આડે હવે એક જ દિવસ બાકી છે ત્યારે હવે એક દિવસ પહેલા જ મુંગેર મતવિસ્તારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી. જન સૂરજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા. સંજય કુમાર સિંહ એનડીએ ઉમેદવાર કુમાર પ્રણયની હાજરીમાં ભાજપમાં જોડાયા. તેમના આ પગલાથી મુંગેરમાં ચૂંટણી ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજય સિંહે ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયને સક્રિયપણે ટેકો આપવાનો પોતાનો ઇરાદો પણ જાહેર કર્યો છે. ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયે સંજય કુમાર સિંહનું પાર્ટીમાં સ્વાગત કરતા કહ્યું કે, “તેમના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે અને મુંગેરમાં NDAનો વિજય નિશ્ચિત છે.” દરમિયાન, રાજકીય વર્તુળોમાં આ ઘટનાક્રમ…