મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો થયો વધુ સાફ ! બેલ્જિયમ કોર્ટે આપ્યું મોટું નિવેદન

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. બેલ્જિયમની એક કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ચોક્સીના ભારત પ્રત્યાર્પણમાં કોઈ અવરોધો નથી. આ નિર્ણય 17 ઓક્ટોબરના રોજ એન્ટવર્પની એક કોર્ટે આપ્યો હતો. કોર્ટે ₹13,500 કરોડના પીએનબી છેતરપિંડી કેસમાં મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. કોર્ટે એપ્રિલમાં બેલ્જિયમના અધિકારીઓ દ્વારા તેની ધરપકડને કાયદેસર રીતે માન્ય રાખી હતી. આ ભાગેડુ ઉદ્યોગપતિને પકડવાનો સતત પ્રયાસ કરી રહેલા ભારત માટે આ એક મોટી સફળતા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મેહુલ ચોક્સી બેલ્જિયમનો નાગરિક નથી, પરંતુ વિદેશી નાગરિક છે. તેણે એમ પણ કહ્યું કે તેની સામેના આરોપો એટલા ગંભીર છે કે તેને ભારત પ્રત્યાર્પણ કરવાની જરૂર છે. કોર્ટે જણાવ્યું હતું કે ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપો, જેમ…