અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો
આજે રામ નવમી પર અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. રામનગરી શ્રી રામની જન્મજયંતીના આનંદમાં ડૂબી ગઈ છે. સવારે રામ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે જન્મજયંતિ કાર્યક્રમ શરૂ થયો. સૌ પ્રથમ, રામ લલ્લાનો અભિષેક થયો. આ પછી, ભગવાન રામને એક કલાક સુધી શણગારવામાં આવ્યા. બરાબર 12 વાગ્યે, ઘંટ અને ઢોલના નાદ વચ્ચે રામલલા પ્રગટ થયા. સોનાના દોરાથી ગૂંથેલું પીળું કાપડ – પ્રાણ પ્રતિષ્ઠા ઘરેણાં પહેરવામાં આવ્યા હતા. આ અલૌકિક ક્ષણમાં, ભગવાનના પ્રગટ થવાની આરતી કરવામાં આવી. ભગવાનને 56 પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવ્યા. રામ મંદિરમાં મહાઆરતીની સાથે, રામલલાને સૂર્ય કિરણોથી તિલક કરવામાં આવ્યું અયોધ્યામાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રામલલાના સૂર્ય તિલક બરાબર 12 વાગ્યે થયા. ભગવાન સૂર્યના કિરણો ચાર…
તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ
ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી બિહાર ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલાની રણનીતિ તરીકે આયોજન કરવામાં આવી છે. એવી અપેક્ષા છે કે ગૃહમંત્રી AIADMK ના વરિષ્ઠ નેતાઓને મળી શકે છે. માર્ચમાં, AIADMK નેતા એડાપ્પડી કે પલાનીસ્વામી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે બે જૂના સાથી પક્ષો ફરી એકવાર વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન બનાવી શકે છે અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સામે મજબૂત મોરચો બનાવી શકે છે. “તેઓ RSSના વિચારધારક એસ ગુરુમૂર્તિ અને કેટલાક પક્ષના કાર્યકરોને પણ મળ્યા હતા, પરંતુ AIADMK નેતાઓ સાથે કોઈ વાતચીત…
Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો
Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.” કયા બની ઘટના ?કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની…
આજે BJP સ્થાપના દિવસ, અનેક પડકારો બાદ થઈ આ રીતે સ્થાપના; જાણો ઇતિહાસ
દેશના રાજકીય ઇતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 45 વર્ષ પહેલાં, આજના દિવસે, 6 એપ્રિલ, 1980 માં, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. 6 એપ્રિલ 1980નો દિવસ ભારતીય રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો પાયો નંખાયો હતો. આજે તે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. ભાજપ પાર્ટી હવે તેના સ્થાપના દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે. 2014 માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યું, ત્યારે પાર્ટીના કુલ સભ્યોની સંખ્યા 5 થી 6 કરોડની વચ્ચે હતી. હાલ શું છે સ્થિતિ આજે, BJPને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ પાર્ટીમાં…
મોદી સરકારે બિહારને આપી મોટી ભેટ, કુદરતી આફતોથી રાહત માટે મંજૂર કર્યા રૂ. 588 કરોડ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024 માં પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને ચક્રવાતી વાવાઝોડાથી પ્રભાવિત ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 1280.35 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ રકમ બિહાર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીને મદદ કરશે, જે ગયા વર્ષે કુદરતી આફતોથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા. સરકારે બિહાર માટે રૂ. 588.33 કરોડ, હિમાચલ પ્રદેશ માટે રૂ. 136.22 કરોડ, તમિલનાડુ માટે રૂ. 522.34 કરોડ અને પુડુચેરી માટે રૂ. 33.06 કરોડ મંજૂર કર્યા છે. આ સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પહેલાથી જ જારી કરાયેલા ભંડોળ ઉપરાંત હશે, જે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) અને કેન્દ્રશાસિત પ્રદેશ આપત્તિ પ્રતિભાવ ભંડોળ (UTDRF) માં ઉપલબ્ધ છે. પુડુચેરીને વધારાની સહાય મળીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ…
રામ નવમી પર PM મોદી ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો વિશેષતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રામ નવમીના અવસરે તમિલનાડુમાં ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ એટલે કે નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે અને તેનું નિર્માણ 550 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પુલ 2.08 કિમી લાંબો છે, અને ટેકનિકલ દ્રષ્ટિકોણથી ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાઓનું એક અનોખું ઉદાહરણ છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુલના સંચાલનને ચિહ્નિત કરવા માટે એક ટ્રેન અને જહાજને લીલી ઝંડી આપશે. આ પછી, તેઓ રામેશ્વરમ સ્થિત પ્રખ્યાત રામાનાથસ્વામી મંદિરે દર્શને જશે અને પૂજા કરશે. પંબન પુલનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે કારણ કે તે રામાયણ કાળના “રામ સેતુ” સાથે જોડાયેલું છે. ટેકનોલોજીકલ રીતે અદ્યતન પુલનવા પંબન બ્રિજમાં 99 સ્પાન અને 72.5…
Pm મોદી અને શ્રીલંકાના દિસાનાયકે કરી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા, જાણો વિગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. તેમની મુલાકાતના પહેલા દિવસે કોલંબોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઔપચારિક સ્વાગતના ભાગ રૂપે, શનિવારે સવારે સ્વતંત્રતા ચોક ખાતે વડાપ્રધાન મોદીને ‘ગાર્ડ ઓફ ઓનર’ અને તોપની સલામી આપવામાં આવી હતી. બાદમાં, પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે રાષ્ટ્રપતિ સચિવાલય પહોંચ્યા, જ્યાં તેમણે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની હાજરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરારોમાં સંપુર સૌર ઉર્જા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ સામેલ હતું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઊર્જા, ડિજિટલ અર્થતંત્ર અને સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી. PM મોદીને શ્રીલંકા મિત્ર…
મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે આપવામાં આવી વિદાય
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારનું શુક્રવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મનોજ કુમારે શુક્રવારે સવારે 3:30 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મનોજ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં થયા, જ્યાં તેમના પુત્ર કુણાલે અંતિમ સંસ્કાર કર્યા. આ દુઃખની ઘડીમાં બોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક, અરબાઝ ખાન તેમના પિતા સલીમ ખાન , સુભાષ ઘાઈ, રાજપાલ યાદવ, અનુ મલિક અને પ્રેમ ચોપરા જેવા ઘણા…
Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 2.1 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપનો આંચકો બપોરના 1.33 કલાકે અનુભવાયો હતો. તેનું કેન્દ્ર તાલાલાથી 12 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાજ્યમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં કુલ 4 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે એપ્રિલ મહિનાની શરૂઆત માંજ ભૂકંપનો એક…
















