Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું: “ઓટાવાના રોકલેન્ડ નજીક છરાબાજીની ઘટનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુથી અમને દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ.”

કયા બની ઘટના ?
કેનેડિયન મીડિયા અનુસાર, ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઓન્ટારિયો પ્રાંતીય પોલીસે (OPP) જણાવ્યું હતું કે રોકલેન્ડના લાલોન્ડે સ્ટ્રીટ નજીક બપોરે 3 વાગ્યાની આસપાસ ઘટના ઘટી. શુક્રવારે, સીટીવી ન્યૂઝ અનુસાર. આ ઘટના ઓટાવાના શહેરથી આશરે 40 કિલોમીટર પૂર્વમાં બની હતી.

ભારતીયમાં ભારે રોષ
Canadaમાં ધર્મેશ નામના યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો થયો અને તેમની પત્ની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ધર્મેશનું હુલમાં મોત થયું છે. આ ઘટનાને લઈને ભારતીયમાં ભારે રોષ જોવા મળ્યો છે. Canadaમાં ભારતીય પર સતત હુમલાથી અનેક સવાલો ઉઠયા છે. બીજી તરફ હુમલાખોરે યુ ઇન્ડિયન કહી યુવક પર છરી વડે હુમલો કર્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *