બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે કે કિશોરે પોતાની ટિપ્પણી બદલ જાહેર રીતે બિનશરતી માફી માંગવી પડશે – નહીંતર કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવશે. જમીન વ્યવહારમાં અનિયમિતતાના આરોપોનો દાવો વિવાદની શરૂઆત થઈ હતી જ્યારે પ્રશાંત કિશોરે પટણામાં આયોજિત પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે અશોક ચૌધરી ₹200 કરોડની જમીન ખરીદી અને વેચાણમાં સંડોવાયેલા છે. તેમના આ નિવેદનને “બિનઆધારભૂત અને માનહાનિકારક” ગણાવીને, ચૌધરીએ તેમના વકીલ કુમાર અંજનાય શાનુ દ્વારા લિગલ નોટિસ પાઠવી છે. નોટિસમાં શું માંગવામાં આવ્યું છે? નોટિસમાં નીચે મુજબ બાબતો રજૂ કરવામાં આવી છે: – પ્રશાંત કિશોરે સાબિત કરવો પડશે…
ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકાઈ : મેક્રોએ સીધો ટ્રમ્પને કર્યો ફોન, જાણો સમગ્ર હકિકત
ન્યૂયોર્ક શહેરમાં એક એવી રોમાંચક ઘટના બની કે જેને જોઈ દુનિયાભરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રસ્તામાં જ રોકી દીધી, કારણ કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને પ્રાથમિકતા આપવામાં આવી રહી હતી. આ પછી જે થયું, તે ઘણા માટે આશ્ચર્યજનક હતું મેક્રોને સીધો ટ્રમ્પને ફોન કર્યો! કાર રોકાઈ અને મેક્રોન થયા ચોંકી ઉઠ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્ર પછી મેક્રોન દૂતાવાસ તરફ પરત ફરી રહ્યા હતા. રસ્તા પર ટ્રાફિક અવરોધ અને પોલીસ બેરિકેડ્સને કારણે તેમની કાર મધ્યમાં અટકાઈ ગઈ. લોકલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે “ટ્રમ્પનો કાફલો આવી રહ્યો છે અને તમામ માર્ગો ક્લીયર કરાઈ રહ્યા છે.” મેક્રોન તાત્કાલિક કારમાંથી ઉતર્યા અને જમ્મી રીતે પોલિસ સાથે…
રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતે બનશે નવા રિંગ રોડ, જાણો રાજ્ય સરકારનો શું છે પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ક્લાયમેટ રિઝિલિઅન્ટ અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દ્વારા સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂ.200 કરોડનું બજેટ પ્રાવધાન કરેલું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે. તજજ્ઞોની એડવાઈઝરી કમિટી રચવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…
અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર હુમલાનો પ્રયાસ, પ્રતાપ દુધાતે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો
અમરેલી/ ગઈકાલે મોડી રાત્રે અમરેલીની સાવરકુંડલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જીલ્લા કોંગ્રેસના અધ્યક્ષ પર ધારીના દુધાળા નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતાપ દુધાતે અમરેલી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કર્યા છે. કોંગી નેતા પ્રતાપ દુધાત પર ગત રાત્રે ધારીના દૂધાળા નજીક હુમલાના નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલો હતો જે મામલે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પહોંચ્યા હતા ને અમરેલી એસ.પી.ને સમગ્ર ઘટના અંગે માહિતીઓ અને વિડિયો બતાવ્યા હતા રાત્રિના ધારીના દુધાળા નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે પ્રતાપ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત ને મળ્યા બાદ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી ને અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ…
જોલી એલએલબી 3 વર્લ્ડવાઇડ કલેક્શન: અક્ષય અને અરશદે સાથે મળીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, વિદેશમાં કરી આટલી કમાણી
જોલી એલએલબી 3 વર્લ્ડવાઇડ કલેક્શન: સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ તેના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. આ સફળતા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નહોતી; તેણે વિદેશમાં પણ નોંધપાત્ર કમાણી કરી. જોલી એલએલબી 3 ના વિશ્વવ્યાપી કલેક્શન વિશે જાણો. અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત ફિલ્મ જોલી એલએલબી 3 એ થિયેટરોમાં જોરદાર એન્ટ્રી કરી. ફિલ્મે રિલીઝ થતાં જ દર્શકોના દિલ જીતી લીધા, અને તેની અસર બોક્સ ઓફિસ કલેક્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો આ ત્રીજો ભાગ, જે બે “જોલી” (જગદીશ મિશ્રા અને જાગેશ્વર ત્યાગી) ને પહેલી વાર ફરીથી જોડે છે, અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે અને સારી કમાણી કરી રહ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી, જોલી એલએલબી…
અંક જ્યોતિષ/18 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ :18 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) 06:00 AM નક્ષત્ર ઉત્તરાષાઢા 06:53 PM કરણ : તૈતુલ 06:00 AM ગરજ 06:00 AM પક્ષ કૃષ્ણ યોગ શુભ 06:41 AM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:28 AM ચંદ્રોદય +00:07 AM ચંદ્ર રાશિ મકર સૂર્યાસ્ત 07:06 PM ચંદ્રાસ્ત 09:46 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…
રાશિફળ/18 મે 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો…
ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી…
ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે કરી લાલ આંખ, 15 દિવસમાં જ ઉકેલ્યા આટલા કેસ
સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ…
















