મુસાફરો માટે નવી સુવિધા: GSRTCની બસમાં હવે ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકાશે

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા લાંબા રૂટની બસ મુસાફરીને વધુ સુખદ અને આરામદાયક બનાવવા માટે નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે ટ્રેનની માફક મુસાફરો એસ.ટી. બસમાં પણ ઓનલાઇન ફૂડ ઑર્ડર કરી શકશે.

કેવી રીતે કામ કરશે નવી સેવા
GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઓન ડીમાન્ડ ફૂડ’ સેવા માટે એજન્સીની નિમણૂંક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હાલનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના રાણીપ, સરખેજ, પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડ પહોંચાડવામાં આવશે.

મુસાફરો ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ મારફતે જ ફૂડ માટે બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા પછી જ્યાં ફૂડ મેળવવું હોય ત્યાં પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવો જરૂરી રહેશે. ઉપરાંત, મુસાફરો એડવાન્સમાં પણ ફૂડ બુકિંગ કરી શકશે.

નિયમો અને શરતો
નક્કી કરાયેલ એજન્સી બસમાં તમાકું, બીડી, ગુટકા, નોન-વેજ અને પ્રતિબંધિત વસ્તુઓ સર્વ નહી કરી શકશે. જો ફૂડ સમયસર પહોંચાડવામાં ન આવે, તો એજન્સી પર 5 થી 10 હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. GSRTCની આ નવી સેવા મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે તાજા અને સારી ગુણવત્તાની ભોજન સુવિધા પૂરી પાડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલ્હી BRICS બેઠકમાં ઈરાન-UAE આમને સામને: મતભેદો વચ્ચે ભારત સંયુક્ત નિવેદન જાહેર કરવામાં નિષ્ફળ

નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠક કોઈ સંયુક્ત નિવેદન વિના પૂર્ણ થતાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક દરમિયાન મધ્ય…

ભારે વરસાદ અને કરા વચ્ચે ચાર ધામ યાત્રા કેવી રીતે કરશો? જાણો મહત્વપૂર્ણ ટિપ્સ અને સાવચેતીઓ

ભારતીય હવામાન વિભાગ દ્વારા પહાડી વિસ્તારોમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ચાર ધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સાવચેતી રાખવી…