મહીસાગર: જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે યુ. આર પટેલ વિદ્યાલયની પસંદગી, મોટી સરસણનું વધાર્યું ગૌરવ

સલમાન મોરાવાલા- સંતરામપુર/ મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ .આર .પટેલ વિદ્યાલયલનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજયું છે. શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ, બોર્ડના જાહેર પરિણામો ને ધ્યાનમાં રાખીને વર્ષ 2025/ 26 માટે મહીસાગર જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ તેમજ રૂપિયા 1 લાખનો પુરસ્કાર પ્રાપ્ત થશે. અગાઉ 2020-21 માં પણ આ શાળાને ઉપરોક્ત વિગતો ને ધ્યાને લઈ એવોર્ડ અને પૂરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ શાળાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિનો શ્રેય સંસ્થાના પ્રમુખ આર. પી .પટેલ ની પ્રેરણા, આચાર્ય મીનાક્ષીબેન પટેલનું માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફને જાય છે. તમામ લોકોના સઘન પ્રયત્નોથી…

ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, IMDની વરસાદ અને ઠંડીની ડબલ ચેતવણી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદ સાથે ઠંડી વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યના શહેરોમાં તાપમાન અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોના કારણે વહેલી સવાર અને રાત્રે ઠંડીની તીવ્રતા અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શિમલા…

રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મળી મંજૂરી, જાણો વિગત

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE (Combined Competitive Examination) પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેનો સીધો અસર આવનારી ભરતી પ્રક્રિયામાં જોવા મળશે. ઉમેદવારો હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે, જેથી પરીક્ષામાં સફળતા મળી શકે. મુખ્ય ફેરફારો અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેતી હતી, હવે તે 150 ગુણની કરવામાં આવી છે. આ બદલાવથી પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની જશે અને ઉમેદવારના જ્ઞાનનું વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પર ઉમેદવારોનું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આગામી…

ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે નિધન

ગુજરાતી રંગભૂમિ અને નાટ્ય જગતમાં એક મોટો ખોટો પહોંચ્યો છે. જાણીતા અને દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન અચાનક સ્વર્ગસ્થ થયા, જેના કારણે સમગ્ર કલાજગતમાં શોકનું માહોલ પેદા થયું છે. રાજુ બારોટ બાળપણથી જ નાટકો અને રંગભૂમિમાં અભિનય કરતા આવ્યા હતા. તેમના જીવનકાળમાં તેમને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે. તેમના નિધનથી ગુજરાતી નાટ્યમંચને હાલમાં ગહન શોક ઘેરી છે. હાર્ટ એટેક યુવાન અને વૃદ્ધ બંને માટે ખતરો ગુજરાતમાં છેલ્લા સમયથી હાર્ટ એટેકના અચાનક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર વૃદ્ધો નહીં, પણ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. અનેક પ્રસંગોમાં જોવા મળ્યું છે કે કોઈ રમત…

અમદાવાદ ઍરપોર્ટ હાઇ-ઍલર્ટ પર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા અપાઈ સૂચના

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આગામી 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ-ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 થી 31 જાન્યુઆરી સુધી ઍરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં કડક વધારો કરવામાં આવશે. આ સંદર્ભે ઍરપોર્ટ સત્તાધીશો અને તમામ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે મહત્વપૂર્ણ એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે. વધારાની સુરક્ષા તપાસને કારણે સમય વધુ લાગી શકે છે, તેથી મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક અગાઉ ઍરપોર્ટ પર પહોંચવાની તાકીદ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં કડકાઈ, ડબલ ચેકિંગ સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોના સામાનનું ડબલ ચેકિંગ કરવામાં આવશે. એરલાઇન્સે સ્પષ્ટ સૂચના આપી છે કે, – મુસાફરો માત્ર 7 કિલો સુધીની એક જ હેન્ડબેગ લઈ જઈ શકશે – ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટ ઉપડવાના 60…

અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની વિગત ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય. પોલીસ અને રેલવેની કામગીરી ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી…

હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનોને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના ચંદ્રકો થશે એનાયત

26 જાન્યુઆરીના પર્વની ઉજવણી દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સુરક્ષા અને જાહેર વ્યવસ્થા ક્ષેત્રે સક્રિય યોદ્ધાઓને સન્માનિત કરવામાં આવશે. રાજ્યપાલ દ્વારા ગ્રામ રક્ષક દળના વજીર બલોચને ચંદ્રક એનાયત કરવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રી દ્વારા હોમગાર્ડના 25 જવાનોને ચંદ્રક આપવામાં આવશે. સુરક્ષા અને જાહેર વ્યવસ્થામાં યોગદાન આપતા અન્ય જવાનોને પણ મુખ્યમંત્રીના ચંદ્રકથી નવાજવામાં આવશે. તેમાં સમાવિષ્ટ છે: – બોર્ડર વિંગના 3 જવાન – નાગરિક સંરક્ષણ દળના 5 જવાન – ગ્રામ રક્ષક દળના 9 જવાન આ સન્માન દ્વારા તેમના દેશપ્રેમ અને નિષ્ઠા માટે માન્યતા આપવામાં આવી છે, જેમણે સમાજ અને રાજ્યની સુરક્ષા જાળવવામાં અવિરત યોગદાન આપ્યું છે.    Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ આજે રાત્રે 11 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના ઉત્તર ભાગમાં હવામાન અસ્થિર બન્યું છે. આ અસર હેઠળ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. મહેસાણા શહેરમાં ભરશિયાળે વરસાદના છાંટા પડતાં જનજીવન પર અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાના માહોલ વચ્ચે વરસાદ પડતા લોકો…

મહેસાણામાં અચાનક વરસાદ, રવિ પાકને નુકસાનની ભીતિ

મહેસાણા શહેરમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રવિ પાકના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તે કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું…

Banaskantha: મંત્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી

પ્રવીણસીહ વાધેલા, બનાસકાંઠા/ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ મંત્રીએ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત બી.કે.–5 જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, ટેકનિકલ વ્યવસ્થાઓ તેમજ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. 1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત કસરા–દાંતીવાડા પાઈપલાઈન દ્વારા રૂ.1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના હવે પૂર્ણતાના આરે છે…