Banaskantha: મંત્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી

પ્રવીણસીહ વાધેલા, બનાસકાંઠા/ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04ની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ મંત્રીએ દાંતીવાડા ડેમ તેમજ ડેમ આધારિત બી.કે.–5 જૂથ પાણી પુરવઠા યોજનાના દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લઈ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, ટેકનિકલ વ્યવસ્થાઓ તેમજ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી
આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત કસરા–દાંતીવાડા પાઈપલાઈન દ્વારા રૂ.1200 કરોડના ખર્ચે ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજના હવે પૂર્ણતાના આરે છે અને હાલ ચાલી રહેલ ટેસ્ટિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થતા લોકોને પાણી મળવાનું શરૂ થશે.

252 તળાવો પાણીથી ભરવાનું આયોજન
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 105 ગામોના 252 તળાવો પાણીથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે અંદાજે 33,670 હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે. સાથે જ બનાસકાંઠા જિલ્લાના ૧૨૩૪ ગામોમાં મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન સચિવ એમ.ડી. પટેલ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર એચ.એમ. ચૌધરી, પી.જે. ચૌધરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.