મહીસાગર: જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે યુ. આર પટેલ વિદ્યાલયની પસંદગી, મોટી સરસણનું વધાર્યું ગૌરવ

સલમાન મોરાવાલા- સંતરામપુર/ મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ .આર .પટેલ વિદ્યાલયલનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજયું છે. શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ, બોર્ડના જાહેર પરિણામો ને ધ્યાનમાં રાખીને વર્ષ 2025/ 26 માટે મહીસાગર જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ તેમજ રૂપિયા 1 લાખનો પુરસ્કાર પ્રાપ્ત થશે.

અગાઉ 2020-21 માં પણ આ શાળાને ઉપરોક્ત વિગતો ને ધ્યાને લઈ એવોર્ડ અને પૂરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ શાળાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિનો શ્રેય સંસ્થાના પ્રમુખ આર. પી .પટેલ ની પ્રેરણા, આચાર્ય મીનાક્ષીબેન પટેલનું માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફને જાય છે. તમામ લોકોના સઘન પ્રયત્નોથી મહીસાગર જિલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શાળાએ આ અનોખી સિદ્ધિ મેળવી છે. જેથી શાળા સંચાલક મંડળ અને મોટી સરસણ ગામનો સમગ્ર વિસ્તાર અને શિક્ષણ જગતનું ગૌરવ વધારેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

શિક્ષણક્ષેત્રે નર્મદા જીલ્લા ની મોટી સિદ્ધી 92% બાળકો ને મળ્યો પુનઃપ્રવેશ…

શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લાની વધુ એક મોટી સિદ્ધિ: 92% ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ, રાજ્યમાં પ્રથમ શિક્ષણક્ષેત્રે નર્મદા જિલ્લામાં 4,224 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાયો. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ બન્યો. રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાએ ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ સાથે નર્મદા જિલ્લાએ 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.આ સિદ્ધિ નર્મદા જિલ્લા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલાં ધોરણ-10ના પરિણામમાં પણ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ વ્યવસ્થામાં જોડવાની કામગીરીમાં પણ નર્મદા જિલ્લાએ આગવું સ્થાન મેળવ્યું…

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી જાણો સમગ્ર જાણકારી… 2026 ,

અમરેલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી: શહીદો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ, એકતા-અખંડિતતાનો સંકલ્પ  અમરેલીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ યોજાયો. વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંકલ્પ લેવાયો. અમરેલીમાં 14 ઓગસ્ટ, 2026ના રોજ ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન પીડિત બનેલા લાખો નિર્દોષ લોકો અને વિસ્થાપિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવી રાખવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને…