ગુજરાતમાં ટેકાના ભાવે તુવેરની થશે ઓનલાઈન નોંધાણી, આ તારીખે….
ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી સરકાર કામ કરી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ…
ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થયો, ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં પડશે માવઠું?
રાજયમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પૂર્વથી ઉત્તર પૂર્વના પવન હાલ ફૂંકાતા નથી જેના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.6 ડિગ્રી,ડીસા 14.4 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 16.1 ડિગ્રી,કેશોદમાં 13.1 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી,મહુવામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી,પોરબંદરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી,સુરત અને ભાવનગરમાં 16.8 ડિગ્રી,કંડલામાં 16.2 ડિગ્રી, ભુજમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. -> કમોસમી વરસાદની આગાહી :- રાજયમાં ફરી 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે.…
આકાશમાં જોવા મળશે રંગબેરંગીન નજારો, કચ્છનાં સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ કરશે દિલધડક કરતબો
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણની ઉપર આકાશમાં તેમના કરતબોનું પ્રદર્શન કરશે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ આકાશમાં રંગબેરંગીન નજારો જોવા મળશે. જેથી આકાશ લાલ રંગથી રંગાઈ જશે. આ ટીમ સચોટ ઉડાન ભરીને અજોડ પ્રદર્શન કરશે. તેમજ ભારતીય વાયુસેનાના પાઇલટ્સના કૌશલ્ય, કાર્યપારંગતતા અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. IAFની પ્રખ્યાત નવ-વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા રજૂ કરવામાં આવનારા એરોબેટિક એર પ્રદર્શનમાં કાર્યપારંગતતા અને ચોકસાઇ જોવા મળશે. જે ભારતીય વાયુસેનાની બે મુખ્ય લાક્ષાણિકતાઓ છે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના 1996માં કરવામાં આવી હતી. અને તે વિશ્વની ખૂબ જ જૂજ એવી નવ વિમાનોની એરોબેટિક ટીમોમાંની એક છે અને એશિયામાં આવી એકમાત્ર ટીમ છે. આ અનન્ય ટીમે ભારતમાં…
જસદણમાં બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો, બાળકને અચાનક છાતીમાં ઉપડ્યો હતો દુઃખાવો
B INDIA જસદણ : રાજ્યમાં વધુ એક બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો છે. જસદણના જંગવાડમાં ધોરણ 5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને પગલે બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવાડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતો પરિવાર ચિંતિત થયો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો. પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે. દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે…
ગીર સોમનાથમાં ભયાનક અકસ્માત, કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા ત્રણ લોકોનાં મોત
B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં કાર ધડાકભેર ટ્રક સાથે અથડાતા 3 યુવકોના ઘટના સ્થળે મોત થયા છે અને એક યુવાન ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પોલીસે તપાસ હાથધરી છે,સાથે સાથે જે યુવાન ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. -> અકસ્માતમાં 3ના મોત :- મળતી વિગતો મુજબ, સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતની આ ઘટના ડોળાસા પાસે બની છે. કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ…
અમદાવાદમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, પોલીસે શિક્ષકની કરી ધરપકડ
B INDIA અમદાવાદ : અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. ખોખરામાં વિદ્યાર્થિની શિક્ષક જીગ્નેશ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો, પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલે દુષ્કર્મ આચર્યુ છે.સ્પોકન ઈંગ્લીશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની અને શિક્ષક મળ્યા હતા. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ શારિરીક દુષ્કર્મ ગુજાર્યુ હોવાની વાત સામે આવી છે. તો આરોપીએ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો સામે આવ્યો છે. ખોખરામાં પ્રોગેસીવ એજ્યુકેશના જિગ્નેશ ગોહિલે વિધાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે, દુષ્કર્મ આચરી અશ્લિલ ફોટા અને વીડિયો વાયરલ…
ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો
ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) ના ધરપકડ વોરંટ બાદ લિબિયન પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ આરોપ બાદ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની રાજીનામું આપશે કે નહીં તે તો સમય જ કહેશે. દરમિયાન, પીએમ મેલોનીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમને ન્યાયિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજીનામું આપવાની કોઈ જવાબદારી હેઠળ નથી અને ઇટલીમાં તપાસનો સામનો કરવો એ ગુનાનો પુરાવો નથી અને કોઈ ઔપચારિક આરોપો લાગુ થશે નહીં. -> પીએમ મેલોની સામે ન્યાયિક તપાસ…
મહાકુંભ મેળા વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર,પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ છતાં, લાખો શ્રદ્ધાળુઓ સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, હેલિકોપ્ટરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહા કુંભ મેળામાં ભીડ એટલી બધી વધી ગઈ છે કે સંગમ નોઝ પર એક પોલીસ બૂથ હવામાં તરતો જોવા મળ્યો. મૌની અમાવસ્યાના શુભ અવસર પર, ભક્તો સંગમમાં સ્નાન કરવા માટે સંગમ નાકા પર પહોંચી રહ્યા છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ત્યાં બેરિકેડ લગાવી દીધા છે. જ્યારે ભીડ એટલી બધી વધી ગઈ કે ત્યાંનું પોલીસ સહાય કેન્દ્ર હવામાં ધ્રુજવા લાગ્યું, ત્યારે પોલીસે બેરિકેડ્સ હટાવી દીધા.હકીકતમાં, મેળામાંથી આવતી ભીડ પોલીસ બૂથને હનુમાન મંદિર તરફ ધકેલી રહી હતી. જ્યારે બીજી બાજુથી આવતી ભીડ તેને મેળા તરફ ધકેલી રહી હતી. એવું લાગતું હતું કે પોલીસ બૂથ હવામાં તરતું…
મહાકુંભમાં ભાગદોડ: મહાકુંભ દરમિયાન સંગમ ઘાટ પર ભાગદોડ, કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના અહેવાલ
–>બુધવારે મૌની અમાવસ્યાના અવસર પર સંગમ કિનારા પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ કાર્ય માટે, 40 થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓને હોસ્પિટલ લઈ જઈ રહી છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી:– B INDIA MAHAKUMBH STAMPEDE:- મૌની અમાવસ્યા સ્નાન દરમિયાન સંગમ નાક ઘાટ પર ભાગદોડ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સવારે 7.30 વાગ્યા સુધીમાં ઘણી એમ્બ્યુલન્સ 31 કોલ્વિન હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી પરંતુ વહીવટીતંત્ર દ્વારા મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ વહીવટીતંત્ર દ્વારા મૃતકોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ૨૦૦ થી વધુ શ્રદ્ધાળુઓની સારવાર ચાલી રહી છે. સગાસંબંધીઓના બૂમોથી સંગમથી મહાકુંભના કેન્દ્રીય હોસ્પિટલ સુધી અંધાધૂંધી મચી ગઈ. આખી રાત…
પ્રયાગરાજમાં ભીડ ઓછી કરવા પ્રયાગરાજના અલગ-અલગ સ્ટેશનોથી દોડશે 360 ટ્રેનો
મહાકુંભમાં શાહી સ્નાન પહેલા થયેલી નાસભાગ છતાં, ભીડ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરેક પસાર થતી ક્ષણ સાથે સંગમ ખાતે લોકોની ભીડ વધી રહી છે. આજે મહાકુંભમાં ૭ થી ૮ કરોડ લોકો ડૂબકી લગાવશે એવો અંદાજ છે. મંગળવારથી, પ્રયાગરાજની શેરીઓ લોકોથી ભરાઈ ગઈ હતી. હવે, શાહી સ્નાન પછી, આ ભીડને અહીંથી દૂર મોકલવા માટે એક ખાસ રેલ યોજના અમલમાં મૂકવામાં આવી છે.રેલ્વે યોજના મુજબ, આજે પ્રયાગરાજ સ્ટેશનોથી ખાસ ટ્રેનો ફક્ત મુસાફરોને પ્રયાગરાજથી બહાર કાઢવા માટે જ કામ કરશે, એટલે કે, અન્ય શહેરોથી ખાસ ટ્રેનો પ્રયાગરાજ નહીં આવે. ગઈકાલ સુધી, પ્રયાગરાજ માટે ખાસ ટ્રેનો દોડતી હતી, પરંતુ આજે આ ફક્ત પ્રયાગરાજથી દેશના વિવિધ ભાગોમાં જ દોડશે. પ્રયાગરાજ સ્ટેશનથી આવી કુલ 360 ટ્રેનો દોડશે. જોકે, પ્રયાગરાજ…
















