ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી , જાણો શું છે મામલો

ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, પીએમ જ્યોર્જિયા મેલોની પર ઇટલીમાં ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) ના ધરપકડ વોરંટ બાદ લિબિયન પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ આરોપ બાદ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની રાજીનામું આપશે કે નહીં તે તો સમય જ કહેશે. દરમિયાન, પીએમ મેલોનીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમને ન્યાયિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજીનામું આપવાની કોઈ જવાબદારી હેઠળ નથી અને ઇટલીમાં તપાસનો સામનો કરવો એ ગુનાનો પુરાવો નથી અને કોઈ ઔપચારિક આરોપો લાગુ થશે નહીં.

-> પીએમ મેલોની સામે ન્યાયિક તપાસ કેમ હાથ ધરવામાં આવી રહી છે? :- હકીકતમાં, લિબિયન પોલીસ અધિકારી, ઓસામા એલ્મસરી નજીમને ગયા અઠવાડિયે જ મુક્ત કરવામાં આવ્યા હતા અને ઇટાલિયન સરકારી વિમાનમાં ઘરે મોકલવામાં આવ્યા હતા. આ ઘટના ઇટલીના શહેર તુરિનમાં તેની ધરપકડના થોડા દિવસો પછી બની હતી. આ પછી, ICC એ આ નિર્ણય પર સ્પષ્ટતા માંગી અને કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

-> પીએમ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી :- ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના ફેસબુક પ્રોફાઇલ પરથી એક વીડિયો પોસ્ટ શેર કરી છે. આ વિડીયો પોસ્ટમાં, મેલોનીએ કહ્યું કે તેમને ગુનામાં મદદ કરવા અને જાહેર ભંડોળના દુરુપયોગના આરોપસર ન્યાયિક તપાસ હેઠળ મૂકવામાં આવ્યા છે. પરંતુ તેમના માટે રાજીનામું આપવાની કોઈ જવાબદારી નથી, અને ઇટાલીમાં તપાસ હેઠળ હોવાનો અર્થ એ નથી કે હું દોષિત છું અને તેનો અર્થ એ નથી કે મને ઔપચારિક આરોપોનો સામનો કરવો પડશે. તેણીએ કહ્યું, “હું ડરવાની નથી. કદાચ એટલા માટે જ મને એવા લોકો પસંદ નથી કરતા જેઓ ઇટલી બદલાય અને વધુ સારું બને તેવું ઇચ્છતા નથી.” તેમણે ઉમેર્યું: “મને વિશ્વાસ છે કે આ ન્યાયિક તપાસ વકીલ લુઇગી લી ગોટી દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમણે ગયા અઠવાડિયે નજીમની મુક્તિ અને તેમને ત્રિપોલી પાછા મોકલવા માટે સરકારી વિમાનના ઉપયોગ સામે ફરિયાદ નોંધાવી હતી.

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ અમદાવાદ  ભારતીય રેલવેએ પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળ પરિવહન કર્યું. RPF, ગુજરાત પોલીસ અને તબીબી ટીમના ગ્રીન કોરિડોરથી હૃદય સમયસર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ પહોંચાડાયું. ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દેશના પરિવહન ઈતિહાસમાં નવું પાનું ઉમેર્યું છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા **જીવંત હૃદય (Live Heart)**નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી આ જીવનરક્ષક અંગને સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવ્યું, જેના આધારે…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો છે. મોબાઇલ નિકાસ 165 ગણી વધીને ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી છે. જાણો મેન્યુફેક્ચરિંગ, રોજગાર અને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે તેનો અર્થ. નવી દિલ્હી: ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં ભારતની મોબાઇલ ફોન નિકાસમાં આશરે 165 ગણો વધારો થયો છે અને તે ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં થયેલો આ ઝડપી વિકાસ ભારતની બદલાતી ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દેશની વધતી ભૂમિકા તરફ સંકેત કરે છે. એક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *