જસદણમાં બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો, બાળકને અચાનક છાતીમાં ઉપડ્યો હતો દુઃખાવો

B INDIA જસદણ : રાજ્યમાં વધુ એક બાળક હાર્ટએટેકનો ભોગ બન્યો છે. જસદણના જંગવાડમાં ધોરણ 5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. અસહ્ય દુઃખાવાને પગલે બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.યુવાનો અને આધેડ બાદ હવે બાળકોના હાર્ટએટેકથી મોત થઈ રહ્યા છે. ગઈકાલે જંગવાડમાં ધોરણ-5માં અભ્યાસ કરતાં બાળકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતો પરિવાર ચિંતિત થયો. છાતીમાં અસહ્ય દુઃખાવો થતો પરિવાર તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલ લઈ ગયો.

પરંતુ ત્યાં પંહોચતા જ હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકની તપાસ કરતાં મૃત જાહેર કર્યો. ડોક્ટરો પણ 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવતા વધુ ચિંતિત થયા છે. દસ દિવસ પહેલા જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં વિધાર્થી હેતાંશે મહાકુંભમાં તાલુકા કક્ષાએ થી મેદાન માર્યું હતું. માતા-પિતાએ પોતાના પુત્રને લઈને અનેક સપના સેવ્યા હશે. પરંતુ હાર્ટએટેકના શિકાર બનેલ હેતાશને ગુમાવવાથી પરિવારના માથે આભ તૂટી પડ્યું. કાલે હસતો રમતો છોકરો અચાનક વિદાય લેતા માતા-પિતા સહિત કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

-> અગાઉ પણ બાળકો હાર્ટએટેકના શિકાર થયા હતા :- છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સા વધ્યા છે. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજયું.જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજયું હતું.

Related Posts

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *