ગાઝા મુદ્દે ટ્રમ્પના પ્લાનને નેતન્યાહૂનો મોટો ઝટકો, ‘હમાસ ખતમ નહીં થાય ત્યાં સુધી સેના પાછી નહીં હટે’
ગાઝામાં યુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ આગળ ધપાવવામાં આવી રહેલા શાંતિ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે સ્પષ્ટ કરી દીધું કે ઇઝરાયલ ‘બોર્ડ ઓફ પીસ’ દ્વારા રજૂ કરવામાં આવેલા 15 મુદ્દાના પ્રસ્તાવને સ્વીકારતું નથી. સાથે જ તેમણે કહ્યું કે હમાસ સંપૂર્ણપણે નિઃશસ્ત્ર નહીં થાય ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પાછી નહીં ખેંચાય. નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં યુદ્ધવિરામ બાદ આગળની શાંતિ પ્રક્રિયા, સુરક્ષા વ્યવસ્થા અને પુનર્નિર્માણને લઈને અમેરિકા તથા અન્ય દેશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના સમર્થનથી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં હમાસના નિઃશસ્ત્રીકરણની સાથે ગાઝામાં નવી વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની યોજના હોવાનું અહેવાલોમાં જણાવાયું…
ગાઝામાં ફરી અંધાધૂંધી: હમાસનો ઇઝરાયલી સૈનિકો પર હુમલો, IDFએ વળતો જવાબ આપ્યો
મધ્ય પૂર્વના તણાવભર્યા વાતાવરણમાં એકવાર ફરીથી ગાઝામાં હિંસાની તરંગ ફેલાઈ છે. યુદ્ધવિરામના દાવાઓ વચ્ચે દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના સૈનિકો પર ગોળીબાર કર્યો, જેના પરિણામે ઇઝરાયલીએ તાત્કાલિક હવાઈ હુમલાથી જવાબ આપ્યો છે. શું થયું રફાહમાં? IDFના જણાવ્યા મુજબ, હમાસના આતંકવાદીઓ એક ટનલ મારફતે બહાર આવ્યા અને દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકો પર ગોળીબાર શરૂ કર્યો. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હમાસે આ આરોપોને “ઇઝરાયલનો ખોટો પ્રચાર” ગણાવીને નકારી કાઢ્યા છે. ઇઝરાયલનો જવાબ ઇઝરાયલી ચેનલ 12ના અહેવાલ મુજબ, હુમલા બાદ IDFએ રફાહ અને ગાઝાના અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કર્યા. સાથે સાથે, ઇઝરાયલના નૌકાદળે બંદર તરફ ગોળીબાર પણ કર્યો, જોકે IDFએ હજુ આ અંગે ઔપચારિક નિવેદન આપ્યું નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની…
PM મોદીએ ઇઝરાયલી બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું, જાણો શું કહ્યું
દક્ષિણ પશ્ચિમ એશિયામાં તણાવના માહોલ વચ્ચે એક શાંતિસભર દ્રશ્ય સામે આવ્યું છે. ગાઝામાં ઘણા વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, હમાસે યારના પગલાં તરીકે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુક્તિનું હાર્દિક સ્વાગત કર્યું છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. મોદીનું નિવેદન વડાપ્રધાન મોદીએ કહ્યું,”અમે બે વર્ષથી વધુ સમયથી બંધક બનાવાયેલા તમામ બંધકોની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. તેમની મુક્તિ તેમના પરિવારોની હિંમત, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અતૂટ શાંતિ પ્રયાસો અને વડા પ્રધાન નેતન્યાહૂના દૃઢ નિશ્ચયનો પુરાવો છે.” તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે ટ્રમ્પના પ્રયાસો માટે ભારત સંપૂર્ણ સમર્થન આપે છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે મજબૂત સાથે ઉભું છે. યુદ્ધવિરામ અને બંધક કરાર –…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારનો પહેલો તબક્કો લાગુ, દ્વિવર્ષીય યુદ્ધ બાદ નવી આશાની શરૂઆત
ગાઝા પટ્ટીમાંથી શાંતિના સંકેત મળ્યા છે. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને હિંસા બાદ ઇઝરાયલ અને હમાસે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી પ્રયાસો હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલું આખરે બંને પક્ષો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની દિશામાં નવો મોર્ચો ખોલી શકે છે. શાંતિ કરારનાં મુખ્ય મુદ્દાં: – બંધકોની મુક્તિ: હમાસ તરફથી રાખવામાં આવેલા તમામ ઇઝરાયલીઓ બંધકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. આમાં મહિલાઓ, બાળકો અને વયસ્કોનો સમાવેશ છે. – ઇઝરાયલની પલટણોની પાછી ખેંચાણ: ઇઝરાયલ ગાઝાના કેટલીક સંવેદનશીલ વિસ્તારોમાંથી સૈનિકો હટાવશે. – મુલભૂત સેવાઓની પુનઃસ્થાપના: ગાઝા માટે પાણી, વીજળી, તબીબી સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પુનઃબાંધકામની મંજૂરી મળશે. – પેલેસ્ટિનિયન કેદીઓની છૂટછાટ: ઇઝરાયલ પોતાના જેલોમાંથી અનેક પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. – 72 કલાકની અંદર…










