Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ સુથારની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, રિદ્ધિના પતિ રૂષિન પટેલ આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના હોદ્દા પર કામ કરી રહ્યા છે. આ પણ વાચો :- આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો…

Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

સુરતના ઉધનામાં ક્રેન તૂટી પડવાતા એક શ્રમિકનું મોત થયું છે. ખાડી બ્રિજ નજીક કામીગીર કરતાં અચાનક ક્રેન તૂટી પડ્યું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત નિપજયું અને એક વ્યક્તિની ગંભીર ઇજાઓ પંહોચી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે.ઉધનામાં ખાડી બ્રિજ નજીક સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. ખાડીની સફાઈ કરવા ક્રેન જેવા મોટા મોટા સાધનો મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે ખાડીની સફાઈ કામગીરી કરતાં અચાનક ક્રેનનો ભાગ તૂટી પડ્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ ક્રેનનો ભાગ તૂટતા ત્યાં કામ કરનાર શ્રમિકો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ક્રેન તૂટતા બે શ્રમિકોને વધુ અસર થઈ. દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું છે. જ્યારે એક…

Surat : સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી!, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા

દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સુરતમાં ક્રાઈમ રેટના આંકડા બહાર આવ્યા છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો સુરતમાં ક્રાઈમ રેટ વધ્યો! :- સુરત શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં સુરત શહેર, જિલ્લામાં હત્યાના 266 કેસ નોંધાયા છે. તો બીજી તરફ બે વર્ષમાં દુષ્કર્મના 657 કેસ, મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા છે. આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા…

Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 3485 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે.…

gandhinagar : હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્રની ખાસ તૈયારી, 838 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે

હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ત્યારે ઈમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે 838 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે, અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે. જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા પાછલા વર્ષોના ડેટા અનુસાર, 108-ઈ.એમ.એસ. એ આગાહી કરી છે કે 13મી માર્ચ 2025ના હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) નો વધારો થશે. અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ) નો વધારો થશે, જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા…

Vadodara: વડોદરામાં 12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ

વડોદરા શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ સાયન્સ વિદ્યાર્થીનો આપઘાત :- હરણી વિસ્તારમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે…

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું. ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી. તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું…

વડોદરામાં સોશિયલ મીડિયાનો ઉપયોગથી પરિણીતાને ધમકી, પરિવારજનોમાં રોષનો માહોલ

વડોદરા શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીના કારસ્તાનથી પરિણીતા અને તેના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણીત મહિલાના પ્રેમમાં પાગલ યુવાન તેજસ પટણીએ મહિલાના ઘરે જઈ તેને ધમકાવી. પાગલ યુવાને મહિલાને ધમકાવતા કહ્યું કે, મારી જોડે સંબંધ નહીં રાખે તો મજા નહીં આવે. યુવાને પાગલપનની હદ વટાવતા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાના ઘરનું સરનામું મેળવ્યું અને મહિલાના ઘરે પંહોચી ગયો. તેજસ પટણી નામનો યુવક પરિણીત મહિલાના ઘરે પંહોચતા તેના પતિએ યુવાનની ધોલાઈ કરી હતી. -> પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી :- વારંવાર હેરાનગતિ કરતાં એક મહિના અગાઉ જ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ યુવક દ્વારા પરિણીત મહિલા પર હુમલો કરે તેવી પણ આશંકા છે. પરંતુ પોલીસે આ મામલાને વધુ ગંભીરતાથી ના લેતા…