Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું

ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 3485 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા છે. તો બીજી તરફ ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માતના સામે આવ્યા છે.

આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો બન્યા છે.108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે.

આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *