વિયેતનામ શેરબજારમાં વિદેશી રોકાણકારો માટે ‘રેડ કાર્પેટ’, હવે સ્થાનિક એકાઉન્ટ વગર શેર ખરીદી શકાશે

એશિયાના ઝડપી વિકસતા અર્થતંત્રોમાંનું એક વિયેતનામ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ક્રાંતિકારી પગલાં ભરી રહ્યું છે. નાણા મંત્રાલયએ જાહેર કર્યું છે કે હવે વિદેશી રોકાણકારોને વિયેતનામની કંપનીઓના શેર ખરીદવા માટે સ્થાનિક સિક્યોરિટીઝ કંપની સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની જરૂર નહીં રહે. તેઓ આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ મારફતે સીધા રોકાણ કરી શકશે, જે વર્ષો જૂના વહીવટી અવરોધને દૂર કરે છે. વિષ્ણાતો માને છે કે આ ફેરફારને કારણે વિયેતનામમાં અંદાજે **6 બિલિયન ડોલર (₹50,000 કરોડથી વધુ)**નું નવું વિદેશી રોકાણ આવી શકે છે. આ ઉપરાંત, વિયેતનામને ‘ફ્રન્ટિયર માર્કેટ’માંથી ‘ઇમર્જિંગ માર્કેટ’ તરીકે વધુ ઊંચો દરજ્જો મળવાની શક્યતા છે, જે FTSE રસેલ દ્વારા સપ્ટેમ્બર 2026 સુધીમાં India અને China જેવી શ્રેણીમાં સમાવેશ કરાશે. વરસાઅંકો દર્શાવે છે કે, ટેરિફના આંચકા છતાં વિયેતનામનું શેરબજાર ગયા વર્ષે 40%…

UAEથી સોનું લાવતા મુસાફરો માટે ખુશખબર!, નવા બેગેજ નિયમોથી મળશે મોટો ફાયદો

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ બેગેજ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 2 ફેબ્રુઆરી 2026 થી Baggage Rules, 2026 અને Customs Baggage Regulations, 2026 અમલમાં આવ્યા છે, જે ખાસ કરીને UAEથી ભારત આવતા મુસાફરો, NRI અને ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત લઈને આવ્યા છે. Duty-Free મર્યાદા વધારીને ₹75000 સરકારે કસ્ટમ્સ ડ્યૂટી વગર લાવી શકાય તેવા સામાનની મર્યાદા ₹50000થી વધારીને ₹75000 કરી છે. આ છૂટ એરપોર્ટ અને સમુદ્રી માર્ગે આવતા ભારતીય નાગરિકો, NRI, OCI અને માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને મળશે. વિદેશી પ્રવાસીઓ માટે આ મર્યાદા ₹25000 રહેશે. UAEથી આવતા મુસાફરો માટે આ બદલાવ ખાસ મહત્વનો છે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને કપડાં સસ્તા મળે છે. હવે આવા સામાન પર ટેક્સની ચિંતા ઓછી થશે. સોનાના…

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે લાંબી ટેલિફોનિક ચર્ચા, એપ્રિલમાં ટ્રમ્પ ચીનની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે લાંબો અને સકારાત્મક ટેલિફોનિક વાર્તાલાપ થયો હતો. બંને નેતાઓ વચ્ચે વેપાર, સૈન્ય સંબંધો, તાઈવાન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ચર્ચાને “અત્યંત સકારાત્મક અને ઉત્તમ” ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. વેપાર અને કૃષિ સૈન્ય મુદ્દા અને તાઈવાન પર ચર્ચા ટ્રમ્પ અનુસાર, ચીન અમેરિકા પાસેથી તેલ અને ગેસની ખરીદી વધારવા પર વિચાર કરી રહ્યું છે. ઉપરાંત, ચીન દ્વારા સોયાબીનની ખરીદી આ સિઝનમાં ૨૦ મિલિયન ટન અને આગામી સિઝનમાં ૨૫ મિલિયન ટન સુધી વધારવાની તૈયારી દર્શાવવામાં આવી છે. વાર્તાલાપ દરમિયાન…

ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ થયા છે અને 5000થી વધુ લોકો બેઘર બન્યા છે. સમાચાર એજન્સી પીએનએ મુજબ, આગ બારંગે લામિયન વિસ્તારમાં લાગી હતી. આ વિસ્તાર દરિયાના પાણી ઉપર લાકડાના સ્થીલ્ટ પર બનેલા ઘરો માટે જાણીતો છે. મોટાભાગના ઘરો લાકડા, વાંસ અને નાળિયેરના પાન જેવા હળવા પદાર્થોથી બનેલા હોવાથી આગ ઝડપથી એક ઘરથી બીજા ઘરમાં ફેલાઈ ગઈ. જોરદાર પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લગભગ ચાર કલાક સુધી સળગતી રહી. આગ એટલી ભયંકર હતી કે આખી વસાહત ખાલી કરાવવી પડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રાત્રિના અંધકારમાં વિશાળ…

રાશિફળ/06 ફેબ્રુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સ્વાસ્થ્ય સારૂં રહેશે. જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારી માં વેપાર કરી રહ્યા છે. તેમને આજે ઘણું સોચી અને વિચારી ને પગલાં લેવા ની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થયી શકે છે. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. નવી…

અંક જ્યોતિષ/06 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

સાબરમતી તટે ‘વોકલ ફોર લોકલ’ મેળા: 7 દિવસમાં આદિવાસી હસ્તકલાકારોને રૂ. 15 લાખની કમાણી

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો. તાજેતરમાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (GTRTS) દ્વારા વલ્લભ સદન, રિવરફ્રન્ટ ખાતે તા. 28 જાન્યુઆરીથી 03 ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી સાત દિવસીય ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા, આહાર અને વનૌષધિય મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અહી માત્ર વસ્તુઓનું વેચાણ જ નહીં, પરંતુ એક સશક્ત આદિવાસી સમાજની ગાથા રજૂ કરવામાં આવી હતી. ઊર્જાવાન અને પ્રજાસેવક આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ખુલ્લા મુકાયેલા આ મેળાએ શહેરીજનોને સીધા જ આદિવાસી લોકજીવન સાથે જોડી દીધા હતા. ડાંગના ગાઢ જંગલો હોય કે સાપુતારાના ડુંગરો રાજ્યના 13 જેટલા…

અમદાવાદમાં શરૂ થશે ‘પ્રાકૃતિક કૃષિ માર્કેટ’: ખેડૂતોને મળશે નવી આવક, શહેરીજનોને રસાયણમુક્ત પેદાશો

અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કૃષિ વિભાગ હસ્તકના આત્મા, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લામાં ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે ક્લસ્ટર રિસોર્સ પર્સન તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા સતત ગહન પ્રયત્નોના ફળસ્વરૂપે, મિશન અને નોન-મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 8300 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે. પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધે અને વધુમાં વધુ ખેડૂતો આ મિશન હેઠળ જોડાઈને આર્થિક રીતે સમૃદ્ધ બને તથા જિલ્લાના શહેરીજનોને રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીની પેદાશો એક જ જગ્યાએથી મળી રહે તે હેતુસર જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને પ્રગતિશીલ ખેડૂતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત…

મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ

ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી પાત્રો અને ધમાકેદાર સંવાદોનો જાદુ હવે મોબાઇલ અને લેપટોપની નાની સ્ક્રીનમાંથી બહાર આવીને સીધા સિનેમા ઘરોના વિશાળ પડદા પર છવાઈ જવા માટે તૈયાર છે. એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટએ અધિકૃત રીતે ‘મિર્ઝાપુર ધ મૂવી’ની જાહેરાત કરી છે. આ સમાચારે કરોડો ફેન્સ માટેકોઈ ઉત્સવથી ઓછા નથી જેઓ વર્ષોથી કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિત વચ્ચેની શત્રુતાને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે આતુર હતા ક્યારે મચશે અસલી ધમાલ? ફેન્સની લાંબી રાહનો અંત લાવતા મેકર્સે આખરે ફિલ્મની રિલીઝ તારીખ પરથી પડદો ઉઠાવી દીધો છે. હવે દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી…

ગુજરાતમાં : GSEB HSC 2026 હોલ ટિકિટ – પ્રેક્ટિકલ પરીક્ષા માટે એડમિટ કાર્ડ કરી શકાશે ડાઉનલોડ, જાણો વિગત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ગાંધીનગર દ્વારા બોર્ડ પરીક્ષા 2026 માટે વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. આ એડમિટ કાર્ડ ધોરણ 12ના તે વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે, જેમની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ રહી છે. શાળા દ્વારા નોંધાયેલા અને પાત્ર ઉમેદવારો તેમના હોલ ટિકિટ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ — sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org — પરથી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારોના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) તા. 27/01/2026 થી બોર્ડની વેબસાઇટ્સ –sciprac.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. શાળાઓ પોતાના સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને લોગિન કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ…