ભારતીય રેલવે શરૂ કરશે 20 નવી ટ્રેનો, ગુજરાત સહિત સમગ્ર દેશ માટે લાભદાયક
ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ આરામદાયક અને સુગમ મુસાફરી પ્રદાન કરવા માટે આગળ આવ્યું છે. વધતી મુસાફરીની માંગ અને તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે દેશભરના મુખ્ય રૂટ પર 20 નવી ટ્રેનો શરૂ કરી છે. આ નવી ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવી ગઈ છે, જેમાં ખાસ ભાર વંદે ભારત અને અમૃત ભારત શ્રેણી પર મૂકવામાં આવ્યો છે. મુસાફરીમાં લાભ નવી ટ્રેનો શરૂ થવાથી: – ટ્રેનોમાં મુસાફરી વધુ આરામદાયક બનશે – વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે – કન્ફર્મ ટિકિટ મેળવવાની શક્યતા વધશે નવી ટ્રેનોમાં વિશેષતાઓ – વંદે ભારત એક્સપ્રેસ: આધુનિક સુવિધાઓ અને હાઇ-સ્પીડ સેવા – અમૃત ભારત એક્સપ્રેસ: મધ્યમ વર્ગ અને સામાન્ય મુસાફરો માટે સસ્તી સેવા – પેસેન્જર ટ્રેનો: નાના અને મધ્યમ શહેરો વચ્ચે સુવિધાજનક…
એજિયન સમુદ્રમાં હાઈ-સ્પીડ બોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડ વચ્ચે ભયાનક ટક્કર, 15ના મોત
એજિયન સમુદ્રના ચિઓસ ટાપુ નજીક મંગળવારની મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી ઘટના સર્જાઈ. ગ્રીક કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ જહાજ અને શરણાર્થીઓ લઈને આવી રહેલી હાઈ-સ્પીડ બોટ વચ્ચે ટક્કર થવા થી દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો, જેમાં અત્યાર સુધી 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મોતમાં 11 પુરૂષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. અનેક લોકો હજુ સમુદ્રમાં ગુમ છે, અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણો કોસ્ટ ગાર્ડના સત્તાવાર નિવેદન મુજબ, આ સ્પીડબોટ નેવિગેશન લાઇટ વગર અંધારામાં તુર્કી કિનારેથી ગ્રીસ તરફ આવી રહી હતી. જ્યારે પેટ્રોલિંગ જહાજે અવાજ અને પ્રકાશના સંકેતો આપી તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બોટના ચાલકે દિશા બદલી અને સીધી ટક્કર થઈ. તેના કારણે બોટ સમુદ્રમાં પલટી ખાઈ ગઈ. બચાવ કામગીરી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર…
અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી
સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના કારણે હાજર લોકોમાં અફરાતફરી અને ફફડાટ મચી ગયો. ઘણા લોકો જિવ બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી, જે થોડીવાર માટે ભયજનક વાતાવરણ સર્જી ગયેલું હતું. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાયટર્સે મહેનત અને ઝડપી પગલાં સાથે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો. તેના કારણે આગ વધુ ફેલાતા પહેલા જ રોકી દીધી. જાણકારી અને તપાસ સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈને ઈજા અથવા જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ, ગેસ સિલિન્ડરમાં લીકેજને કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.…
સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”
લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…
Pune-Mumbai એક્સપ્રેસવે પર 24 કલાકથી લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો ફસાયા
મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ટ્રાફિક જામની સમસ્યા 24 કલાકથી વધુ સમયથી જારી છે. ખંડાલા ઘાટની આડોશી સુરંગ નજીક મંગળવારે સાંજે આશરે 5 વાગ્યે કેમિકલ ભરેલું ગેસ ટેન્કર પલટી ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી ગેસ લીક થઈને સમગ્ર વિસ્તાર જોખમી સ્થિતિમાં આવી ગયો છે. 20 થી 22 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફના ટ્રાફિકને સુરક્ષાના કારણે પુરી રીતે બંધ કરવામાં આવ્યું છે. અસર બંને દિશામાં જોવા મળી રહી છે. એક્સપ્રેસવે પર લગભગ 20 થી 22 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈનો ઉભી થઈ છે. ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોમાં હજારો વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. મુસાફરોને મળી રહી છે મોટી મુશ્કેલી ઘણા લોકો સવારના 4 વાગ્યાથી એક જ જગ્યાએ અટકાયેલા છે. આ ભારે ટ્રાફિકજામના કારણે ઘણા…
સતત છઠ્ઠી વાર ફાઇનલમાં ટીમ ઈન્ડિયા, અંડર-19 વર્લ્ડ કપમાં 311 રન ચેઝ કરીં ઇતિહાસ રચ્યો
ભારતીય અંડર-19 ટીમે ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરીને સાત વિકેટથી જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. ભારતે 311 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં પૂર્ણ કરીને ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાવ્યો. એરોન જ્યોર્જનું શાનદાર શતક ભારતની જીતમાં ઓપનર એરોન જ્યોર્જ હીરો રહ્યો. તેણે 104 બોલમાં 115 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગે ભારતીય રન ચેઝને સંપૂર્ણ નિયંત્રણમાં રાખ્યો. વૈભવ સૂર્યવંશીની તોફાની શરૂઆત રન ચેઝ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી. વૈભવે માત્ર 24 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી અને 33…
ક્રિકેટ જગતમાં ભૂકંપ: પાકિસ્તાને ભારતમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપનો સત્તાવાર બહિષ્કાર કર્યો
ક્રિકેટ વિશ્વમાં મહત્વપૂર્ણ ઘડિયાળ બની ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર જાહેર કર્યું છે કે તેમની ટીમ ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે દેશ પ્રવાસ નહીં કરે. આ નિર્ણયના પગલે સમગ્ર ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તણાવનું કારણ: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ખેલાડીઓને ઇનકાર કર્યા બાદ PCB એ આ પગલુ ભર્યું છે. સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને આઈસીસી (ICC)ને પત્ર લખીને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. હાઈબ્રિડ મોડલનો અસ્વીકાર: અગાઉ ચર્ચા થઈ હતી કે પાકિસ્તાનની મેચો શ્રીલંકા અથવા દુબઈમાં યોજી શકાય, પરંતુ હવે PCB એ સંપૂર્ણ બહિષ્કારનો નિર્ણય લીધો છે. આઈસીસી પર દબાણ પાકિસ્તાનના આ નિર્ણયથી બ્રોડકાસ્ટર્સ અને સ્પોન્સર્સ માટે કરોડો રૂપિયાનું નુકસાન…
India-USA ટ્રેડ ડીલ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – નવી તકો અને વૈશ્વિક બજારો માટે દ્વાર ખુલશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે India-USA વચ્ચે થયેલા નવા ટ્રેડ ડીલ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલી આ ડીલ માત્ર ઉદ્યોગ માટે સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે. વૈશ્વિક બજારો માટે નવા દ્વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ ડીલ મેઈક ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ જેવા વિઝનને વધુ બળ આપશે. ડીલ હેઠળ મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18% ની કટौती કરવામાં આવી છે, જે ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગારી સર્જન માટે મોટું પ્રોત્સાહન હશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે હવે વૈશ્વિક બજારોમાં પ્રવેશ સરળ બનશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સને લાભ મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ અને…
















