રાજ્યમાં આગામી તા. 11 થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન, CM અહીથી કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. 11 ડિસેમ્બરથી તા. 23 ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 11 ડિસેમ્બર, 2025ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરશે, ઉજવણી કરશે અને તેમના પ્રયાસોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. ‘સશક્ત નારી મેળા’ થકી મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતોને સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને…