ગુજરાતમાં BJP મનસુખ માંડવિયાને કેમ કરી રહી છે આગળ ? જાણો શું છે આ સમીકરણ
ગુજરાતમાં પાટીદારો એટલે કે લેઉવા અને કડવા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી, ભાજપ સતત સત્તા પર છે. આ જ કારણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પણ ભાજપે પટેલ પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું હતું. બાદમાં આનંદીબેન મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. હાલમાં, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં સરકારના સુકાન પર છે. મંત્રીમંડળમાં ફેરબદલ બાદ, ભાજપે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. જોકે, ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વધતી જતી પ્રવૃત્તિએ રાજકીય ચર્ચા જગાવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, માંડવિયાએ તેમના પૈતૃક ઘર કરમસદથી કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સુધી પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. પોરબંદરના સાંસદ માંડવિયાએ પણ રાજકોટમાં ખોડલધામ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નરેશ પટેલની અધ્યક્ષતામાં એક સંગઠન દ્વારા આયોજિત…
દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”
દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા માટે કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. “જમ્મૂ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય છે,” એમ માંડવિયાએ સ્પષ્ટ કર્યું. તેમણે આગળ કહ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિની ભાવનાને કમજોર કરી રહ્યું છે અને વારંવાર સંધિનો દુરૂપયોગ કરીને ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવાનો પ્રયાસ કરે છે. કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું કે તે આત્મચિંતન કરે અને આતંકવાદ તથા વિકાસ સંબંધિત ગંભીર પડકારોનું સમાધાન કરે. “પાકિસ્તાનને…








