ગાંધીનગર: દૂધ ઉત્પાદનમાં આગવું ગણાતું ગુજરાત, પરંતુ પશુ તબીબોની અછતનો પ્રશ્ન ફરી ચર્ચામાં
| પંકજ મકવાણા – અમદાવાદ| ગુજરાત લાંબા સમયથી દૂધ ઉત્પાદન અને સહકારી ડેરી વ્યવસ્થાને લઈને દેશના આગવા રાજ્યોમાં ગણાય છે. રાજ્યના ગ્રામિણ અર્થતંત્રમાં દૂધાળા પશુઓનું મહત્વપૂર્ણ સ્થાન છે. છતાં પશુપાલન સંબંધિત સરકારી સેવાઓમાં માનવસંસાધનની અછત અંગે પ્રશ્નો સમયાંતરે સામે આવતા રહ્યા છે. તાજેતરમાં વિધાનસભામાં રજૂ થયેલી માહિતી આ ચર્ચાને ફરી એક વખત કેન્દ્રસ્થાને લઈ આવી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજ્યના પશુપાલન વિભાગે આપેલી માહિતી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પશુ ચિકિત્સા અધિકારીઓની કુલ 855 મંજૂર જગ્યાઓ સામે 421 જગ્યાઓ ખાલી છે. એટલે કે લગભગ અડધી જગ્યા હજુ ભરાઈ શકી નથી. આ સાથે પશુધન નિરીક્ષક વર્ગ-૩ની કુલ 437 મંજૂર જગ્યાઓમાંથી 89 જગ્યાઓ પણ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. આ માહિતી વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબ રૂપે રજૂ…
અમદાવાદ પોલીસે હોળીની મધરાતે વકીલના માતાની લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલ્યો
– UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા | પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે 65 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને દાગીના લૂંટી લેવાની સનસનાટીભરી ઘટનાનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. સરદારનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ઉત્તર પ્રદેશના રિઢા ગુનેગાર સલમાન ઉર્ફે લલ્લા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણ હોવાથી આરોપીઓએ રેકી કરીને આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો. કેવી રીતે ઉકેલાયો ભેદ? : આ ઘટનાની ગંભીરતા જોઈ મહિલા પીઆઈ એન.બી. કલસરિયાએ તપાસનો દોર સંભાળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસ રાજસ્થાન અને કુબેરનગરમાં સઘન તપાસ આદરી હતી. જેમાં સલમાન અલ્વીસૈયદ…
અમદાવાદ: સરકારી આરોગ્ય સેવાઓમાં વિશ્વાસ વધ્યો, SVP હોસ્પિટલમાં છ વર્ષમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ
– SVP Hospital Ahmedabad માં OPD, IPD, સર્જરી અને આયુષ્માન યોજના હેઠળ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાતા જાહેર આરોગ્ય સેવાઓ પ્રત્યે નાગરિકોમાં વધતો વિશ્વાસ સ્પષ્ટ થાય છે. પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદમાં જાહેર આરોગ્ય વ્યવસ્થાની ક્ષમતા અને વિશ્વસનીયતા અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ચર્ચા થઈ રહી છે. આ સંદર્ભમાં SVP Hospital Ahmedabadના તાજેતરના આંકડાઓ શહેરના આરોગ્ય માળખાની બદલાતી દિશાનો એક મહત્વપૂર્ણ સંકેત આપે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા NHL Municipal Medical College સંચાલિત આ હોસ્પિટલમાં વર્ષ 2019થી 2025 દરમિયાન દર્દીઓની સંખ્યા અને વિવિધ તબીબી સેવાઓમાં સતત વધારો નોંધાયો છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર વર્ષ 2019માં OPDમાં 1,27,764 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. છ વર્ષમાં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે અને વર્ષ 2025માં OPD દર્દીઓની સંખ્યા 4,01,869…
જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત રહ્યું છે. વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, એવું તેમણે ઉમેર્યું હતું. પટેલે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે. સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું અને આજે આ સંપ્રદાયના સાધુ-સંતો પણ…
Mukesh Ambaniની આગવી પહેલ: જામનગર રિફાઈનરીમાં LPG ઉત્પાદનમાં થશે મોટો વધારો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના નિવેદન મુજબ, જામનગર સ્થિત રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં LPGનું ઉત્પાદન વધારવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. જામનગરને વિશ્વનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ રિફાઈનિંગ હબ ગણવામાં આવે છે. રિલાયન્સની ટીમો 24 કલાક કામગીરી પર કંપનીએ જણાવ્યું કે રિલાયન્સની ટીમો સતત 24 કલાક કામગીરી કરશે જેથી રિફાઈનરી ઓપરેશન્સ વધુ કાર્યક્ષમ બની શકે. મુખ્ય હેતુ ઘરેલુ બજારમાં LPG પુરવઠો સ્થિર અને વિશ્વસનીય બનાવવાનો છે. સાથે સાથે, ક્રિષ્ના-ગોદાવરી બાસીનમાંથી ઉત્પન્ન થતો નેચરલ ગેસ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને સપોર્ટ કરવા માટે મોકલવામાં આવશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર ગેસ ફાળવણી રિલાયન્સે જણાવ્યું કે કંપની ભારત સરકાર સાથે નજીકથી સંકલન કરી રહી છે…
CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીની PM મોદી સાથે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. રાજકીય રીતે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માહિતી અનુસાર બેઠક દરમિયાન ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણીની તૈયારીઓ, સંગઠનની સ્થિતિ તેમજ રાજકીય વ્યૂહરચના અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે રાજ્યની વર્તમાન રાજકીય અને વહીવટી સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, કાયદો અને વ્યવસ્થા તથા શાસન સંબંધિત મુદ્દાઓ અંગે પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર…
ભારતીય ક્રિકેટર Kuldeep Yadav 14 માર્ચે લગ્ન કરશે, દુલ્હનને લઈને ચાહકોમાં વધતી ઉત્સુકતા.
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવની 14 માર્ચે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં તેમની દુલ્હનને લઈને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ બની છે. ક્રિકેટપ્રેમીઓ અને ફેન્સ માટે આ લગ્ન ખાસ ઉત્સુકતા પેદા કરી રહ્યા છે.આપને જણાવી દઈએ કે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ 14 માર્ચે ઉત્તરાખંડના સુંદર શહેર મસૂરીમાં સાત ફેરા લેશે. કુલદીપ યાદવ 14 માર્ચે કરશે લગ્ન ભારતીય ટીમના સ્ટાર સ્પિનર Kuldeep Yadav ટૂંક સમયમાં પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. 14 માર્ચે તેઓ પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે પરંપરાગત રીતે લગ્ન કરશે. લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. કોણ છે કુલદીપ યાદવની દુલ્હન?…
ગુજરાતમાં ગરમીનો કહેર: 17 જિલ્લામાં હિટવેવની આગાહી, 41 ડિગ્રી તાપમાન સાથે યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લામાં હિટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેટલીક જગ્યાએ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા અને સુરત જિલ્લામાં હિટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માર્ચની શરૂઆતમાં જ ગરમીનો આકરો પ્રભાવ રાજકોટમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ આટલી ગરમી અનુભવાતા શહેરના રસ્તાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સુરતમાં પણ કાળઝાળ ગરમી સુરતમાં પણ તાપમાન…
ગુજરાતમાં નવાજુનીના એંધાણ? મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અચાનક દિલ્હી પહોંચતા રાજકારણ ગરમાયું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. માહિતી મુજબ, બંને નેતાઓ દિલ્હી પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. સામાન્ય રીતે ગુજરાતના રાજકારણ પર પીએમ મોદી અને અમિત શાહની નજીકથી નજર રહેતી હોવાને કારણે આ મુલાકાતને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની સંભાવના છે. જોકે ચૂંટણીની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું એક સાથે દિલ્હી પહોંચવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો કે રાજકીય નિષ્ણાતો કહે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરત ઇકોનોમિક રિજિયન માટે મોટો નિર્ણય: 1185 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવા માટે સુરત ઇકોનોમિક રિજિયન (SER) માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 1185 કરોડ રૂપિયાના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના 24 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે કુલ 383 કિલોમીટર માર્ગોના સુધારણા અને વિકાસ સાથે જોડાયેલા છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત @2047”ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા “વિકસિત ગુજરાત @2047”ના રોડમૅપનો મહત્વનો ભાગ છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા રાજ્યના સર્વાગી વિકાસ માટે તૈયાર કરાયેલા રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. સુરત ઇકોનોમિક રિજિયનમાં સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તાર રાજ્યના કુલ આર્થિક વિકાસમાં 35 ટકાથી…















