Mukesh Ambaniની આગવી પહેલ: જામનગર રિફાઈનરીમાં LPG ઉત્પાદનમાં થશે મોટો વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના નિવેદન મુજબ, જામનગર સ્થિત રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં LPGનું ઉત્પાદન વધારવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. જામનગરને વિશ્વનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ રિફાઈનિંગ હબ ગણવામાં આવે છે.

રિલાયન્સની ટીમો 24 કલાક કામગીરી પર
કંપનીએ જણાવ્યું કે રિલાયન્સની ટીમો સતત 24 કલાક કામગીરી કરશે જેથી રિફાઈનરી ઓપરેશન્સ વધુ કાર્યક્ષમ બની શકે. મુખ્ય હેતુ ઘરેલુ બજારમાં LPG પુરવઠો સ્થિર અને વિશ્વસનીય બનાવવાનો છે. સાથે સાથે, ક્રિષ્ના-ગોદાવરી બાસીનમાંથી ઉત્પન્ન થતો નેચરલ ગેસ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને સપોર્ટ કરવા માટે મોકલવામાં આવશે.

સરકારની માર્ગદર્શિકા અનુસાર ગેસ ફાળવણી
રિલાયન્સે જણાવ્યું કે કંપની ભારત સરકાર સાથે નજીકથી સંકલન કરી રહી છે અને તમામ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અને ગેસ ફાળવણી નિયમોનું પાલન કરશે. કંપનીનો ઉદ્દેશ એ છે કે દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રો અને સમાજના તમામ વર્ગો સુધી ઊર્જા પુરવઠો સરળતાથી પહોંચે. રિલાયન્સ ભવિષ્યમાં પણ સરકાર સાથે સહયોગ કરીને ઊર્જા સુરક્ષા અને પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    એથેન્સમાં જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા: એક પાયલટનું મોત

    ગ્રીસની રાજધાની એથેન્સ નજીક જંગલમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા બે અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાતા એક પાયલટનું મોત થયું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. આ અકસ્માત એથેન્સના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈથા વિસ્તારમાં થયો હતો. બંને હેલિકોપ્ટર જંગલની આગ પર પાણીનો છંટકાવ કરીને તેને કાબૂમાં લેવાના મિશનમાં સામેલ હતા. દુર્ઘટના બાદ ગ્રીસની સેના, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જંગલની આગ ઓલવતા સમયે થયો અકસ્માત મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. આગની ગંભીર સ્થિતિને કારણે ઘણા હેલિકોપ્ટર એક જ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે…

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ: 7ના મોત, 18 ઘાયલ

    પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક મોટી વિસ્ફોટની ઘટના સામે આવી છે. સ્વાત જિલ્લામાં આયોજિત એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન અચાનક થયો વિસ્ફોટ પાકિસ્તાનમાં મળતી માહિતી અનુસાર, આ રેલી સ્થાનિક આદિવાસી સંગઠન ‘સ્વાત અમન જિરગા’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સ્વાત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિને લઈને…