ખાંસી માટે ઘરેલું ઉપાય: કફની સમસ્યા ફક્ત 3 કલાકમાં દૂર થઈ જશે! આ ઘરેલું ઉપાયો અજમાવી જુઓ

ખાંસી અને કફની સમસ્યા સામાન્ય રીતે બદલાતા હવામાન, ઠંડી વસ્તુઓના સેવન અથવા શરદીને કારણે થાય છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા વધી શકે છે અને ગળામાં દુખાવો, છાતીમાં જકડાઈ જવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જોકે, કેટલાક ઘરેલું ઉપચાર (Home Remedy for Cough) તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત આપી શકે છે. તુલસીનો રસ ૧૦-૧૨ તાજા તુલસીના પાન લો.તેમને સારી રીતે ધોઈ લો અને મિક્સરમાં પીસી લો.તેમાં અડધી ચમચી મધ અને ચપટી કાળું મીઠું ઉમેરો.આ મિશ્રણ દિવસમાં 2-3 વખત પીવો.આદુનો રસ તાજા આદુનો ટુકડો લો અને તેને છીણી લો.તેને સ્વચ્છ કપડામાં મૂકો અને રસ કાઢવા માટે તેને દબાવી દો.આ રસમાં ૧ ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ…

ચણાના ફાયદા: મુઠ્ઠીભર દેશી ચણા તમને સ્ટીલની તાકાત આપશે! વજન ઘટાડવામાં મદદ કરશે, આ 7 ફાયદા અદ્ભુત

દેશી ચણા, જેને કાળા ચણા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે પોષક તત્વોથી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ખનિજોની સારી માત્રા હોય છે, જે વિવિધ શરીરના યોગ્ય કાર્યમાં મદદ કરે છે. નિયમિતપણે દેશી ચણાનું સેવન કરવું એ વિવિધ સ્વાસ્થ્ય લાભો મેળવવાનો એક કુદરતી માર્ગ છે. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે અને તેને સલાડ, સૂપ અથવા કરી જેવી વિવિધ રીતે સરળતાથી રાંધી શકાય છે. દેશી ચણા હૃદય માટે ફાયદાકારક છે અને હાડકાંને મજબૂત બનાવે છે. ચાલો જાણીએ દેશી ચણા ખાવાના ફાયદા. -> દેશી ચણા ખાવાના 7 ફાયદા : -> હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :- દેશી ચણામાં ફાઇબર અને…

ભીંડી ફ્રાય: રાત્રિભોજનમાં બનાવો સ્વાદિષ્ટ ભીંડી ફ્રાય, ખાનારા ચાટશે આંગળીઓ, કેવી રીતે બનાવશો તે શીખો

‘ભીંડી ફ્રાય રાત્રિભોજન માટે એક પરફેક્ટ રેસીપી છે. ભીંડા ફ્રાય બાળકોની સાથે મોટા લોકોને પણ ખૂબ ગમે છે. જો તમારા ઘરે મહેમાનો આવ્યા હોય, તો તમે તેમના રાત્રિભોજનના મેનુમાં લેડીફિંગર ફ્રાયનો સમાવેશ કરી શકો છો. ભીંડાને તળવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જશે. લેડીફિંગર ફ્રાય બનાવવું સરળ છે અને તે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. ભીંડી ફ્રાય બનાવવા માટે, ભીંડી મસાલા અને થોડા તેલ સાથે તળવામાં આવે છે, જે તેનો સ્વાદ વધુ વધારે છે. તમે તમારા મસાલા અને સ્વાદની પસંદગી મુજબ ભીંડા ફ્રાય બનાવી શકો છો. તે હલકું, કરકરું અને અત્યંત સ્વાદિષ્ટ છે જેને તમે લંચ કે ડિનર માટે સાઇડ ડિશ તરીકે પીરસી શકો છો. ભીંડી ફ્રાય બનાવવા માટેની સામગ્રીભીંડા – ૫૦૦ ગ્રામતેલ – ૨-૩ ચમચીજીરું…

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું, કમળાનાં વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 100ને પાર

આણંદમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ધર્મજ ગામમાં કમળાનો કહેર જોવા મળ્યો છે. ધર્મજમાં છેલ્લા ઘણા સમયથી લોકો બીમાર પડી રહ્યા હતા. જેમાં રબારીવાસ અને નવાપુરામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું. ગઇ કાલે વધુ 8 દર્દીઓને કમળો નોંધાયો હતો. જેના કારણે કેસની સંખ્યા 113 એ પહોંચી હતી. ત્યારે હાલ 8 માંથી 4 દર્દીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કમળાના કારણે ગામના લોકોની મુશ્કેલી વધી હતી. તો બીજી તરફ પાણીન સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ માત્રમાં જોવા મળતા બંને વિસ્તારોના પાણીને બિન પીવાલાયક જાહેર કરવામાં આવ્યું હતું. વધતા જતા કમળાના કેસને લઇ કલેકટરના માર્ગદર્શન હેઠળ 19 ટીમો ગામમાં કાર્યરત કરવામાં આવી છે. જોકે ધર્મજ ગામને આરોગ્ય વિભાગે કમળાગ્રસ્ત જાહેર કર્યું…

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.…

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ: આજથી ST નિગમ દ્વારા કરાઈ ખાસ સુવિધા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, “27 ફેબ્રુઆરી 2025થી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.” એસટી નિગમને જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલી હતી. હજુ…

પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરુઆત, જાણો કયાં-કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા

B INDIA ગાંધીનગર : ગાંધીનગરમાં આજે વિધાનસભાની બેઠકની શરુઆત થવાની છે. જેમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જોકે, રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રશ્વોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે. જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિન સરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે. આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે. જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે. જેમાં…

‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ

અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​ICC ODI ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 58 રનમાં 5 વિકેટ લીધી હતી અને ટીમને ઈંગ્લેન્ડ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં બંને ટીમોએ 642 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડનો સ્કોર 317 હતો. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ રન 707 હતા. વર્ષ 2017માં ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચમાં 643 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના પૂર્વ મેન્ટર અજય જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. અજય જાડેજાએ કહ્યું કે,…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ, આ છે આખું સમીકરણ

અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ વધારી દીધી હતી. અફઘાનિસ્તાનની જીતે ઈંગ્લેન્ડ (AFG vs ENG) ને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી દીધી છે. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. તમને જણાવી દઈએ કે આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ -0.990ના રન રેટ સાથે ગ્રુપ બીમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. હવે અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાની તક છે. અફઘાનિસ્તાન ટીમની આગામી મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થવાની છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. હવે બીજી તરફ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સેમીફાઈનલ થઈ શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં…

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…