પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરુઆત, જાણો કયાં-કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા

B INDIA ગાંધીનગર : ગાંધીનગરમાં આજે વિધાનસભાની બેઠકની શરુઆત થવાની છે. જેમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જોકે, રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રશ્વોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે. જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિન સરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે.

આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે. જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે. જેમાં વિધાનસભાના વિવિધ સભ્યો બિન સરકારી વિધેયકો રજૂ કરશે.

જોકે, અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકત તબદીલી પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોની જગામાંથી ભાડૂઆતો ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ (રદ કરવા) બાબત વિધેયક રજૂ થશે.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *