સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે, આજદિન સુધી અધિકારીઓને ગેરકાયદેસર બાંધકામ નજરે પડ્યું ન હતું. જેને લઇ આગની ઘટનામાં ફાયર બ્રિગેડને પરેશાન થવાની વારી આવી હતી.

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *