રાજકોટ ભાજપના કોર્પોરેટરે તણાવભર્યા વાતાવરણમાં પણ જોયો રાજકીય લાભ ! કરી આ પોસ્ટ અને મામલો પહોંચ્યો પ્રદેશ કક્ષાએ…

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણને લઈ સમગ્ર દેશ એક થઈ અને પાકિસ્તાન સામે જાણે મોરચો માંડ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બીજી તરફ હવે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. આ દરમિયાન રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટથી વિવાદ સામે આવ્યો છે. RAJKOT BJP નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’ RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત…

અમદાવાદમાં સાબરમતી નદી ખાલી કરવામાં આવી, જાણો તે પાછળ શું છે કારણ..

અમદાવાદના હૃદય સમાન સાબરમતી નદી હવે તેના સંપૂર્ણ સ્વરૂપમાં શ્વાસ લેશે. રાજ્યના સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે નદીના તળિયાની વિશાળ સફાઈ અને પુનઃજીવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નદીને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી રહી છે જેથી તેનું તળિયું સાફ કરી શકાય.   SRFDCL એ એક નોંધમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના અમદાવાદ સિંચાઈ વિભાગ, નર્મદા જળ સંસાધન અને કલ્પસર વિભાગના કાર્યકારી ઇજનેર કાર્યાલયની માંગણીના જવાબમાં, બંધની સલામતી અને પૂર્વ-ચોમાસા સમારકામને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજ પર ગેટ રિપેર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્ય 12 મે, 2025 થી 5 જૂન, 2025 સુધી હાથ ધરવામાં આવશે.   વધુમાં, વાસણા બેરેજના ઉપરના ભાગમાં માટીનો રેમ્પ બનાવવાનું કામ હાથ ધરવામાં…

AHMEDABAD: પ્રખ્યાત ક્લબની મ્યુઝિક પાર્ટી પર બોપલ પોલીસનાં દરોડા, મોટા માથાઓની ધરપકડ

–: નવ લોકોની ધરપકડ; છ નશામાં મળી આવ્યા, ત્રણ પાસે દારૂની બોટલો હતી; દોષિત ઠરશે તો કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે ક્લબનો આરોપ:- શનિવારે મોડી રાત્રે કરાયેલી કાર્યવાહીમાં, બોપલ પોલીસે શહેરની બહાર શેલામાં ક્લબ O7 ખાતે યોજાયેલ ટેક્નો મ્યુઝિક પાર્ટી પર દરોડો પાડ્યો અને નવ લોકોની ધરપકડ કરી, જેમાંથી છ નશામાં મળી આવ્યા. નવમાંથી એક 23 વર્ષીય મહિલા છે, અને ત્રણ પાસેથી દારૂ મળી આવ્યો. પોલીસે બે લક્ઝરી કાર પણ જપ્ત કરી, જેમાં એક BMW, ત્રણ પ્રીમિયમ દારૂની બોટલો, બિયરનો એક ટીન અને પાંચ મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડા પછી તરત જ, સ્થાનિક પોલીસને પ્રભાવશાળી વ્યક્તિઓ તરફથી અટકાયત કરાયેલા આરોપીઓને મુક્ત કરવાની વિનંતી કરતા ફોન આવવા લાગ્યા હતા, પરંતુ પોલીસે ધરપકડની…

અંક જ્યોતિષ/12 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/12 મે 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. જીવન ના ખરાબ તબક્કા માં પૈસા તમારા કામ આવશે તેથી આજ થીજ પોતાના પૈસા બચત કરવા ના વિષે વિચારો નહિ તો તમને તકલીફો આવી શકે છે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. તમારી સખેત મહેનતનું વળતર મળશે કેમ…

પંચાંગ :12 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) 10:28 PM નક્ષત્ર સ્વાતિ 06:17 AM કરણ : વિષ્ટિ ભદ્ર 09:17 AM ભાવ 09:17 AM પક્ષ શુક્લ યોગ વરિયાન પૂર્ણ રાત્રિ દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:32 AM ચંદ્રોદય 06:56 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 07:02 PM ચંદ્રાસ્ત +05:30 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…

Ahmedabad: મેઘાણીનગરમાં રિક્ષાચાલકે “હું રાવણ છું” કહી પોલીસ પર પરિવાર સાથે કર્યો હુમલો

મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષાચાલક દ્વારા રોડ પર સ્ટંટ કરવાના બનાવને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ સોલંકી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન રિક્ષાચાલકને સ્ટંટ કરતો જોવા મળ્યા હતા. જ્યારે તેમણે રિક્ષા ઉભી રાખી અને ચેતવણી આપી, ત્યારે રિક્ષાચાલકે પોલીસ સાથે માથાકૂટ કરી અને તેના પરિવારના સભ્યોને બોલાવી લીધા હતા. આ ઘટનામાં ચાર લોકો સહિત બે મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં, મયૂરભાઈ સોલંકીનો ધીરજ અને વ્યાવસાયિકતા પ્રશંસનીય છે. તેમણે હિંસા અને ઉશ્કેરણાને બાજુ પર રાખીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના અન્ય પોલીસ કર્મચારીઓ માટે પણ એક ઉદાહરણ બની રહી છે કે કેવી રીતે વ્યાવસાયિકતા અને…

Ahmedabad: મેઘાણીનગરમાં રિક્ષાચાલકે “હું રાવણ છું” કહી પોલીસ પર પરિવાર સાથે કર્યો હુમલો

મેઘાણીનગર વિસ્તારમાં રિક્ષાચાલક દ્વારા રોડ પર સ્ટંટ કરવાના બનાવને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયૂરભાઈ સોલંકી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન રિક્ષાચાલકને સ્ટંટ કરતો જોવા મળ્યા હતા. જ્યારે તેમણે રિક્ષા ઉભી રાખી અને ચેતવણી આપી, ત્યારે રિક્ષાચાલકે પોલીસ સાથે માથાકૂટ કરી અને તેના પરિવારના સભ્યોને બોલાવી લીધા હતા. આ ઘટનામાં ચાર લોકો સહિત બે મહિલાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં, મયૂરભાઈ સોલંકીનો ધીરજ અને વ્યાવસાયિકતા પ્રશંસનીય છે. તેમણે હિંસા અને ઉશ્કેરણાને બાજુ પર રાખીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના અન્ય પોલીસ કર્મચારીઓ માટે પણ એક ઉદાહરણ બની રહી છે કે કેવી રીતે વ્યાવસાયિકતા અને…

ઇઝરાયલનો ગાઝા પર ઘાતક હવાઈ હુમલો, 15 લોકો માર્યા ગયા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે રવિવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક નાસેર હોસ્પિટલના જણાવ્યા મુજબ, એક જ પરિવારના ચાર સભ્યો (માતા-પિતા અને બે સંતાનો)ની મોત થઈ છે. ગાઝા શહેરના અન્ય વિસ્તારોમાં પણ હુમલાઓ થતા એક પુરુષ અને બાળક મૃત્યુ પામ્યા હતા. બીજી જગ્યાએ થયેલા વિસ્ફોટોમાં વધુ સાત લોકોના મોત થયા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) મુજબ, તે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે અને નાગરિકોને નુકસાનથી બચાવવાનો પ્રયાસ કરે છે. તેમનું કહેવું છે કે હમાસ નાગરિક વિસ્તારોનો ઉપયોગ ઢાળ તરીકે કરે છે અને તેથી નુકસાન થાય છે. 100 થી વધુ આતંકવાદી…

IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?

ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનને “બગડેલી ઓલાદ” અને “કૂતરાની પૂંછડી” ગણાવ્યું. “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી” – શાસ્ત્રીનો પાકિસ્તાન પર કટાક્ષ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી. આપણી સેના હજુ સુધી યુદ્ધમાં પ્રવેશી પણ નથી, તો પછી તેઓ શું ઉજવણી કરે છે?” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં બોમ્બ ફૂટી રહ્યા હતા, “ત્યારે અમે અહીં મીની દિવાળી ઉજવી રહ્યા હતા.” શાસ્ત્રીએ પાકિસ્તાનની વિચારસરણીને “કુટિલ” અને “ક્યારેય ન સુધરતી” ગણાવી. પાકિસ્તાન હંમેશા પોતાને પીડિત દર્શાવે છે શાસ્ત્રીએ…