IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?

ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનને “બગડેલી ઓલાદ” અને “કૂતરાની પૂંછડી” ગણાવ્યું.

“યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી” – શાસ્ત્રીનો પાકિસ્તાન પર કટાક્ષ
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી. આપણી સેના હજુ સુધી યુદ્ધમાં પ્રવેશી પણ નથી, તો પછી તેઓ શું ઉજવણી કરે છે?” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં બોમ્બ ફૂટી રહ્યા હતા, “ત્યારે અમે અહીં મીની દિવાળી ઉજવી રહ્યા હતા.” શાસ્ત્રીએ પાકિસ્તાનની વિચારસરણીને “કુટિલ” અને “ક્યારેય ન સુધરતી” ગણાવી.

પાકિસ્તાન હંમેશા પોતાને પીડિત દર્શાવે છે
શાસ્ત્રીએ કહ્યું કે પાકિસ્તાનને “રડવાની આદત” છે. “આ દેશ હંમેશા પોતાને પીડિત બતાવે છે અને આતંકને ફેવર આપતો રહ્યો છે. તેની આદત અને વિચારસરણી બંને ક્યારેય બદલાશે નહીં.”

સૈનિક તૈયારી અંગે મોટું સૂચન: દરેક ગામે તાલીમ કેન્દ્ર ખોલવા નું નિવેદન
ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીએ રાષ્ટ્ર સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સૂચન પણ આપ્યું. “દરેક ગામમાં સૈન્ય તાલીમ કેન્દ્ર ખોલવા જોઈએ જેથી આવશ્યક સમયે યુવાનો દેશના રક્ષણમાં તૈયાર રહી શકે.” તેમના મતે, “આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિ બંનેના મિશ્રણથી દેશ વળી શકશે.”

વિવાદ કે રાષ્ટ્રભક્તિ? શાસ્ત્રીના શબ્દોએ ચર્ચા છેડી
શાસ્ત્રીના આ નિવેદનોએ દેશભરમાં વિવિધ પ્રકારના પ્રતિસાદ ઊભા કર્યા છે. કેટલાક લોકોએ તેને રાષ્ટ્રભક્તિનું પ્રતિબિંબ ગણાવ્યું છે, તો કેટલાકે તેમને સાંસ્કૃતિક મર્યાદા ઓળંગવાનો આક્ષેપ કર્યો છે. તેમના અનુયાયીઓ તેમના નિવેદનને “રાષ્ટ્રની રક્ષા માટે ભાઈચારા અને સહજ ઉગ્રતા” તરીકે જોવે છે.

ઓપરેશન સિંદૂર પછી દેશભરમાં રાષ્ટ્રવાદી ભાવનાઓ ઉછળતી જોઈ રહી છે. આવા સમયે ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રી જેવા લોકપ્રિય ધાર્મિક નેતાનું નિવેદન સમાજના વિવિધ વર્ગોમાં ઉત્સાહ અને વિવાદ બંને ઊભા કરે છે.

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *