બિયારણ-ખાતરના વેચાણમાં ગેરરીતિ કરનારાઓ સામે સરકારનો કડક વલણ, હવે સીધી પોલીસ ફરિયાદ અને જેલની સજા

રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર વધુ કડક બની છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે ગેરકાયદેસર, પ્રતિબંધિત અથવા ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રીનું વેચાણ કરનાર તેમજ સંગ્રહખોરી કરનાર તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. મંત્રીએ કૃષિ વિભાગને આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને જરૂર પડે ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપી છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવા સરકાર પ્રતિબદ્ધ કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા જાળવવા માટે કેન્દ્ર સરકારના નિયમો અમલમાં છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વિક્રેતા અથવા…

ઓમાનના દરિયામાં તેલ ટેન્કર પર હુમલાનો દાવો, 3 ભારતીય નાવિકો લાપતા હોવાની માહિતી

ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ અને કેમિકલ ટેન્કર પર હુમલો થયાની માહિતી સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 24 ભારતીય નાગરિકો હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનામાં 21 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી છે, જ્યારે 3 ભારતીય નાવિકો હજુ પણ લાપતા હોવાનું કહેવાઈ રહ્યું છે. જહાજમાં આગ અને વિસ્ફોટની ઘટના મળતી માહિતી મુજબ, ‘સેટેબેલો’ નામનું કેમિકલ અને ઓઇલ ટેન્કર ઓમાનના સોહર બંદરથી આશરે 20 નોટિકલ માઈલ ઉત્તર-પૂર્વ દિશામાં હતું ત્યારે તેના એન્જિન રૂમમાં આગ અને વિસ્ફોટ જેવી ઘટના બની હતી. ઘટનાના પગલે જહાજને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાંથી મળેલા ઇમરજન્સી સંદેશા બાદ ઓમાનની રોયલ નેવીએ તાત્કાલિક બચાવ…

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડાં ખાખ; 200થી વધુ પરિવારો અસરગ્રસ્ત

અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં અનેક ઝૂંપડાં તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ધોમધખતા ઉનાળાના તાપ વચ્ચે અચાનક ઝૂંપડપટ્ટીના એક ભાગમાં આગ ફાટી નીકળી હતી. પવન અને ઝૂંપડાંમાં રહેલી જ્વલનશીલ સામગ્રીના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. 8 ફાયર ફાઇટર અને ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી. કંટ્રોલ…

માતરના ગરમાળા ગામે વેપારી પરિવાર પર હુમલો, 5 સામે ગુનો નોંધાયો; 4 આરોપીઓ ઝડપાયા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં નજીવી બાબતને લઈને વેપારી પરિવાર પર થયેલા હુમલાની ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દુકાનમાં મોરસ (ખાંડ) બાંધવા માટે કાગળ ફાડવાની સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસીને વેપારી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુકાનમાં ઘૂસીને હુમલો અને તોડફોડ મળતી માહિતી અનુસાર, ગરમાળા ગામની GIDC વિસ્તારમાં આવેલી દુકાનમાં સામાન્ય તકરાર બાદ 5થી 6 વ્યક્તિઓએ એકજૂથ થઈને વેપારી પરિવાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી તેમજ લાકડીઓ અને ખુરશીઓ વડે મારામારી કરી…

જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ PM મોદીનું પહેલું નિવેદન, કહ્યું – “આ જનતાના આશીર્વાદ અને ભગવાનની કૃપા”

કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવી દિલ્હીના ભારત મંડપમમાં એનડીએ (NDA)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા વડાપ્રધાનોમાંના એક તરીકે નવા રેકોર્ડ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમના જીવનમાં આવો તબક્કો આવશે. તેમણે જણાવ્યું કે તેમની રાજકીય યાત્રામાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ દેશની સેવા કરવાનો મોકો તેમને જનતાના આશીર્વાદ અને ભગવાનની વિશેષ કૃપાથી મળ્યો છે. તેમણે કહ્યું, “મારા માટે જનતા જ ઈશ્વરનું સ્વરૂપ છે. આટલા લાંબા સમય સુધી ભારત માતાની સેવા કરવાનો અવસર મળ્યો છે, તે…

વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત; સ્થાનિક યુવકે 3ના જીવ બચાવ્યા

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસે એક કરુણ અકસ્માતમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર કેનાલમાં ખાબકી જતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે બહાદુરીપૂર્વક બચાવી લીધા હતા. ધોધની મુલાકાત બાદ પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત મળતી માહિતી અનુસાર, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયા વિસ્તારમાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધની મુલાકાતે આવ્યા હતા. સાંજના સમયે ધોધથી પરત વડોદરા જવા નીકળ્યા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચલાવી રહેલા રોહિત વસાવાએ વાહન પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલી કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં પડતાં ચારેય યુવકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સ્થાનિક યુવક બન્યો…

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ

મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. રાજ્યસભાની ત્રીજી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ હવે ભાજપના ઉમેદવાર મહેશ કેવટ બિનહરીફ ચૂંટાય તે લગભગ નિશ્ચિત બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપે કોંગ્રેસ ઉમેદવાર સામે સોગંદનામામાં મહત્વની માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતાઓ કૈલાશ વિજયવર્ગીય અને રાકેશ સિંહએ મીનાક્ષી નટરાજનની ઉમેદવારી સામે સત્તાવાર વાંધો નોંધાવ્યો હતો. ફોજદારી કેસની માહિતી છુપાવવાનો આરોપ ભાજપના આક્ષેપ મુજબ મીનાક્ષી નટરાજને તેમના નામાંકન સોગંદનામામાં હૈદરાબાદની કોર્ટમાં ચાલી રહેલા એક ફોજદારી કેસ અંગેની માહિતી જાહેર કરી નહોતી. આ મામલે રિટર્નિંગ ઓફિસરે તેમને સ્પષ્ટતા રજૂ કરવા માટે સમય આપ્યો હતો. મંગળવારે સાંજે રજૂ કરાયેલા જવાબ અને દસ્તાવેજોની સમીક્ષા…

ઓગસ્ટથી ટ્રેન ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, ભારતીય રેલવે લાવશે નવી સ્માર્ટ સિસ્ટમ

ભારતીય રેલવે મુસાફરોને વધુ ઝડપી અને સરળ સેવા આપવા માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનાથી રેલવેની સમગ્ર ટિકિટ બુકિંગ પ્રક્રિયા તબક્કાવાર નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) પર સ્થાનાંતરિત કરવામાં આવશે. લગભગ 40 વર્ષથી ઉપયોગમાં રહેલી જૂની સિસ્ટમને બદલે આધુનિક ટેક્નોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવશે, જે મુસાફરોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરતાં અધિકારીઓને સૂચના આપી છે કે સિસ્ટમ અપગ્રેડ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે. 40 વર્ષ જૂની સિસ્ટમને મળશે વિદાય હાલમાં ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 1986થી કાર્યરત છે. સમય સાથે તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હોવા છતાં હવે તેને સંપૂર્ણપણે નવી ટેક્નોલોજીથી…

મોરબીમાં ડબલ મર્ડરથી ચકચાર: જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની ચકચારી હત્યા

મોરબી જિલ્લાના મેઘપર ઝાલા ગામમાં જમીન માપણીના વિવાદને લઈને ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, જમીન સંબંધિત વિવાદ ઉગ્ર બનતા કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને તંગદિલીનો માહોલ સર્જાયો છે. મૃતકોની ઓળખ જયપાલસિંહ ઝાલા અને હર્ષવર્ધનસિંહ ઝાલા તરીકે થઈ છે. જાણવા મળતી વિગતો મુજબ, વાડી વિસ્તારમાં જમીન માપણીને લઈને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા. સોમવારે આ મુદ્દે ફરીથી બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરતાં બંનેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ…

ફિલિપાઇન્સમાં 50 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ, 37નાં મોત; 20 હજારથી વધુ લોકો બેઘર

દક્ષિણ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે આવેલા 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 50 વર્ષમાં દેશના સૌથી શક્તિશાળી ભૂકંપ તરીકે ગણાતા આ આંચકામાં અત્યાર સુધીમાં 37 લોકોનાં મોત થયા છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે 20 હજારથી વધુ લોકોને પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ ટાપુ નજીક દરિયાઈ વિસ્તારમાં નોંધાયું હતું. જોરદાર આંચકાના કારણે અનેક વિસ્તારોમાં ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી હતી. બચાવકર્મીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળમાં સતત કાર્યરત છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બાદમાં સુનામીનો મોટો ખતરો ટળી ગયો હતો. તેમ…