શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ! અમદાવાદમાં લાયસન્સ વગર ચાલતી ફેક્ટરી પર AMCનો દરોડો
અમદાવાદથી મેગા બ્રેકિંગ: લાયસન્સ વગર ઘી બનાવતી કઠવાડાની ડેરી પર AMCનો સપાટો, 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરીને આખું યુનિટ સીલ કરાયું! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ કરી છે. કઠવાડા વિસ્તારમાં આવેલી એક ડેરીમાં લાયસન્સ વગર અને અત્યંત ગંદકી વચ્ચે શુદ્ધ ઘીના નામે નકલી ખેલ ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. AMC એ રૂ. 2.85 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી, ફેક્ટરીને તાળા મારી દીધા છે. અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે વધુ એક વખત કડક સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કઠવાડા વિસ્તારમાં આવેલી એક મોટી ડેરીમાં તપાસ દરમિયાન લાયસન્સ સંબંધિત ગંભીર અનિયમિતતાઓ…
ગુજરાત માટે મોટા સમાચાર: કડાણા ડેમ 52.39% ભરાયો!
ગુજરાત માટે સૌથી મોટા અને રાહતના સમાચાર: 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીનો બમ્પર જથ્થો, ખેડૂતો ખુશખુશાલ! ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસા પહેલા જ મહીસાગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ત્રીજા સૌથી મહત્વના એવા કડાણા ડેમમાં ગત વર્ષ કરતા અંદાજે 11 ફૂટ વધુ પાણીનો લાઈવ જથ્થો ઉપલબ્ધ છે. ડેમ હાલમાં 52.39% ભરાઈ ચૂક્યો છે, જેના કારણે જો ચોમાસું થોડું મોડું પણ થાય, તો પણ ગુજરાતના 8 જિલ્લાઓમાં પીવાના કે સિંચાઈના પાણીની કોઈ જ તંગી નહીં સર્જાય! મહીસાગર: ગુજરાત રાજ્યના ત્રીજા સૌથી મહત્વપૂર્ણ અને મહીસાગર સહિત ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓની જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી ખુબ જ આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે ત્યારે કડાણા ડેમમાં હાલ પાણીનો…
ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે ‘ફાયર સેફ્ટી ઓડિટ
રેલવે સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારતીય રેલવેએ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશભરના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાના હેતુથી ટૂંક સમયમાં જ વ્યાપક સ્તરે ‘ફાયર સેફ્ટી ઓડિટ’કરવામાં આવશે. આ ઓડિટ અંતર્ગત સ્ટેશનો પર હાલની ફાયર સેફ્ટી સિસ્ટમ્સની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને જ્યાં પણ ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે. કઈ-કઈ બાબતોની તપાસ કરવામાં આવશે? આ સ્પેશિયલ ઓડિટ માત્ર ઉપરછલ્લું નહીં હોય,પરંતુ સ્ટેશનની તમામ મહત્વપૂર્ણ પ્રણાલીઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.જેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ,એર કન્ડીશનીંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ,ઇમરજન્સી એક્ઝિટ,ફાયર ફાઇટીંગ સિસ્ટમ્સ,પાણીની ઉપલબ્ધતા,પમ્પિંગ અને સ્પ્રિંકલર સિસ્ટમ્સ સહિતની તમામ મહત્વપૂર્ણ સલામતી સિસ્ટમ્સની તપાસ કરશે.ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રેલવે સ્ટેશનો કોઈપણ આગની કટોકટીનો અસરકારક રીતે જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખામીઓ…
PF ખાતાધારકો માટે મોટા સમાચાર! હવે ફંડ ઉપાડવાની પ્રક્રિયા બનશે વધુ સરળ, જાણો નવા નિયમો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા અમલમાં મુકાયેલી નવી ‘EPFO 3.0’ વ્યવસ્થા કરોડો પગારદાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે. નવા માળખા હેઠળ પીએફ ખાતાધારકો માટે ફંડ ઉપાડવાની પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી સુવિધા મુજબ સભ્યો હવે લાંબી વેરિફિકેશન પ્રક્રિયા વગર UPI અને ATM જેવી ડિજિટલ સુવિધાઓ મારફતે પોતાના ખાતામાં સીધા જ પીએફની રકમ મેળવી શકશે. ATM દ્વારા 100 ટકા PF ફંડ ઉપાડી શકાશે? નવા નિયમોને લઈને ઘણા કર્મચારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે હવે ATM મારફતે સમગ્ર PF ફંડ ઉપાડી શકાશે કે નહીં. જોકે, EPFOના નિયમો અનુસાર ATM અથવા UPI જેવી સુવિધા દ્વારા સામાન્ય સંજોગોમાં સભ્યો પોતાના કુલ PF ભંડોળમાંથી મહત્તમ 75 ટકા રકમ જ ઉપાડી…
રાશિફળ/11 જૂન 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ વધારે પડતો પ્રવાસ તમને ઝનૂન પર લાવી મુકશે. જે લોકોએ ક્યાંક નિવેશ કર્યું હતું તે લોકો ને આજ ના દિવસે આર્થિક હાનિ થવા ની શક્યતા છે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વિતશે એવું જણાય છે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ…
અંક જ્યોતિષ/11 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ /11 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી એકાદશી (અગિયારસ) 10:39 PM નક્ષત્ર રેવતી 08:17 AM કરણ : ભાવ 11:55 AM બાલવ 11:55 AM પક્ષ કૃષ્ણ યોગ શોભન +00:59 AM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:22 AM ચંદ્રોદય +02:26 AM ચંદ્ર રાશિ મીન સૂર્યાસ્ત 07:18 PM ચંદ્રાસ્ત 03:13 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…
પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, તમામ સૈન્યકર્મીઓના મોત
પાકિસ્તાની સેનાને બુધવારે મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન આર્મી એવિએશનનું Mi-17 હેલિકોપ્ટર પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરના મુઝફ્ફરાબાદ નજીક દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ સૈન્યકર્મીઓના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે સૈન્ય કામગીરી માટે મુઝફ્ફરાબાદ નજીકથી ઉડાન ભરી હતી. જોકે ટેકઓફ બાદ થોડા જ સમયમાં તેમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટ હેલિકોપ્ટર પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પાકિસ્તાની સેનાની વિશેષ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી હતી. જોકે હેલિકોપ્ટરમાં સવાર કોઈપણ વ્યક્તિને જીવિત બચાવી શકાયા નહોતા. તમામ સૈન્યકર્મીઓના મોત પાકિસ્તાની સેનાના મીડિયા વિભાગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)…
લોકરક્ષક ભરતી પરીક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા, AI ફેશિયલ રેકગ્નિશનથી થશે ઉમેદવારોની ઓળખ
ગુજરાતમાં આગામી 14 જૂને યોજાનારી લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક, ગેરરીતિમુક્ત અને સુવ્યવસ્થિત રહે તે માટે આ વખતે આધુનિક ટેક્નોલોજી આધારિત કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં લાખો ઉમેદવારો ભાગ લેવાના હોવાથી રાજ્યના પોલીસ વિભાગ અને પરીક્ષા સંચાલન તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. GPS ટ્રેકરથી પ્રશ્નપત્રોની સુરક્ષા પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્રો સુધી સલામત રીતે પહોંચે તે માટે પ્રશ્નપત્રો લઈ જતાં તમામ વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ વ્યવસ્થાથી વાહનોની હિલચાલ પર સતત નજર રાખી શકાશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિની શક્યતાઓને અટકાવી શકાશે. સાથે જ સમગ્ર પરીક્ષા પ્રક્રિયા માટે એક કેન્દ્રિય કંટ્રોલરૂમમાંથી સતત મોનિટરિંગ કરવામાં આવશે, જ્યાંથી દરેક પરીક્ષા કેન્દ્રની સ્થિતિ પર નજર…
હોર્મુઝ સંકટ વચ્ચે ભારતનો ₹40,000 કરોડનો મેગા પ્લાન, ઓમાન-ગુજરાત ગેસ પાઇપલાઇનથી ઊર્જા સુરક્ષાને મળશે નવી દિશા
મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી યોજના પર ઝડપથી આગળ વધી રહ્યું છે. ઓમાનથી ગુજરાત સુધી અરબ સાગરના પેટાળમાં આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાના પ્રસ્તાવને ફરી ગતિ મળી છે. અંદાજે ₹40,000 કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ ભારત માટે ઊર્જા ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. હોર્મુઝ પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ ભારત પોતાની કુદરતી ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. હાલમાં ખાડી દેશોમાંથી આવતી LNGનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારત સુધી પહોંચે છે. જો આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં કોઈ અવરોધ સર્જાય તો ભારતના ઊર્જા પુરવઠા પર સીધી અસર પડી શકે છે. આ જોખમને ધ્યાનમાં…
















