સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી: કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલીક બદલી

અહીના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડની તપાસ હેઠળ મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે, અને ડીડીને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ED દ્વારા દરોડા અને ધરપકડ બુધવારે EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને અન્ય અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 67.50 લાખ રોકડ, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે લેવામાં આવ્યા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરવામાં આવશે. કૌભાંડના કારણો સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડ જમીન સંપાદન અને NA (નન એગ્રિકલ્ચરલ) મંજૂરીઓમાં…

લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વાન ચોટીલાથી મુસાફરો લઈ ગોધરા તરફ જઈ રહી હતી. અકસ્માતના તુરંત પછી, 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ કેટલીક ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહી છે. ટ્રાફિક અને મુસાફરોની સલામતી માટે અત્યારે માર્ગ પર સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.  …

થાનગઢમાં ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ, પોલીસ કાર્યવાહી ચાલુ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ધોળેશ્વર ફાટક પાસે એક ટ્રક એન્ગલમાં ફસાઈ જતા તેમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર પડી ગઈ. આ ઘટનાનો લાભ લઈને આસપાસના લોકોએ નીચે પડી ગયેલી બોરીઓ ઉઠાવી લીધી. ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ, આશરે 50 થી વધુ બોરીઓ લૂંટાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ થાનગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બાકી રહેલી બોરીઓ ટ્રકમાં ફરીથી ભરવાની કામગીરી શરૂ કરી. આ ઘટનામાં લોકોએ ભેદભાવ વિના ભારી માત્રા માં માલ લઈ લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસ હવે વધુ તપાસમાં લાગી છે અને જવાબદારોને પકડવા પ્રયાસો કરી રહી છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં

ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત રાજ્યના DGPની સીધી સુચના પરથી લેવામાં આવ્યો છે. જુગારના માફિયાઓ સાથે હતી સાંઠગાંઠ તપાસમાં ખુલ્યું હતું કે, લીંબડીના કેટલાક પોલીસ કર્મીઓ જુગારના આરોપી નવદીપ સિંહ અને તનવીર સિંહ જેવા અસામાજિક તત્વો સાથે સંપર્કમાં હતા અને સંરક્ષણ આપતા હતા. આ સંબંધો પોલીસની નૈતિકતા અને શિસ્તના ઘોર ઉલ્લંઘન સમાન ગણાયા છે. બરતરફ કરાયેલા પોલીસકર્મીઓના નામ: – પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર) – પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર) – આર્મડ પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા – અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા –…