સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી: કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલીક બદલી

અહીના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડની તપાસ હેઠળ મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે, અને ડીડીને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ED દ્વારા દરોડા અને ધરપકડ
બુધવારે EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને અન્ય અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 67.50 લાખ રોકડ, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે લેવામાં આવ્યા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરવામાં આવશે.

કૌભાંડના કારણો
સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડ જમીન સંપાદન અને NA (નન એગ્રિકલ્ચરલ) મંજૂરીઓમાં ગેરરીતિથી સંબંધિત છે. ખાસ કરીને બલભદ્રસિંહના કૌટુંબિક જમીન વિવાદમાં કલેક્ટર અને તેમના PA જોડાયેલા હોવાની આશંકા છે.

સરકારે પગલાં લીધા
કલેક્ટરની બદલી અને ડીડીને ચાર્જ સોંપવાની કાર્યવાહી તાત્કાલીક અસર સાથે થઈ. રાજ્ય સરકાર પણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે સસ્પેન્શન અને કડક કાર્યવાહીની તૈયારીમાં છે. આ EDના મોટાભાગના પગલાં સાથે, સુરેન્દ્રનગરમાં જમીન વ્યવહાર અને વહીવટ પ્રણાલીમાં ગેરરીતિ સામે કડક ન્યાયપ્રક્રિયા ચાલુ છે. હવે નજર EDની તપાસ અને સરકારના આગળના પગલાં પર ટકી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદની શક્યતા નહીં

ગુજરાતમાં હાલ ચોમાસાની સિસ્ટમો સક્રિય હોવા છતાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે આગામી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રિજિયનમાં વરસાદી ગતિવિધિ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર એરિયા અને મોન્સૂન ટ્રફ જેવી વિવિધ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. જોકે, આ સિસ્ટમોની સ્થિતિ એવી નથી કે જેના કારણે ગુજરાતમાં વ્યાપક અથવા ભારે વરસાદ થઈ શકે. તેથી આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ…

અમેરિકામાં ભારતીયો પર હિંસક હુમલાનો વધુ એક બનાવ, પંજાબી યુવક ગુરદીપ સિંહનું ગોળીબારમાં મોત

અમેરિકામાં ભારતીય મૂળના લોકો સાથે જોડાયેલી હિંસક ઘટનાઓ વચ્ચે ન્યૂયોર્કમાં વધુ એક ભારતીય યુવકના મોતનો બનાવ સામે આવ્યો છે. ન્યૂયોર્કના બ્રુકલિન વિસ્તારમાં 27 વર્ષીય ગુરદીપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું છે. શરૂઆતના અહેવાલોમાં આ ઘટનાને લૂંટ સાથે જોડવામાં આવી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને અમેરિકન મીડિયા રિપોર્ટ્સ મુજબ કેસની તપાસ ચાલી રહી છે અને રોડ-રેજની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ઈસ્ટ ન્યૂયોર્કના ક્રેસન્ટ સ્ટ્રીટ વિસ્તારમાં ગોળીબારની જાણ થઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપ સિંહને ગોળી વાગેલી હાલતમાં મળ્યા હતા. તેમને તાત્કાલિક વન બ્રુકલિન હેલ્થ-બ્રુકડેલ હોસ્પિટલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું…