અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. Follow us On Social Media…







