અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા

સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *