કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ ચૂકવીયા વિના મુસાફરીની તારીખ બદલી શકશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું એલાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે, “મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ લવચીકતા અને સરળતા પૂરી પાડવાનો છે. અગાઉ, મુસાફરીના પ્લાનમાં બદલાવ થવાથી મુસાફરોને ટિકિટ રદ કરવાની મજબૂરી પડતી હતી અને ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. હવે, એ સમસ્યા દૂર થઈ જશે.” નવી સુવિધા કેવી રીતે કામ કરશે? – મુસાફરોને જો નવી તારીખે સીટ ઉપલબ્ધ હોય તો, મુસાફરીની તારીખ બદલી શકાશે – જો નવું ભાડું વધુ હશે, તો તફાવત ચૂકવવો પડશે – જો…