ઇટાલી: માટેરામાં કાર-ટ્રક અકસ્માતમાં 4 ભારતીયોના કરુણ મૃત્યુ, દૂતાવાસ દ્વારા કરાયો શોક વ્યક્ત

દક્ષિણ ઇટાલીના માટેરા જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ઘટી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. મૃતકોની ઓળખ મૃતકોની ઓળખ મનોજ કુમાર (ઉમર 34), સુરજીત સિંહ (33), હરવિંદર સિંહ (31) અને જસકરણ સિંહ (20) તરીકે થઈ છે. ચારેય જણા પંજાબના વતની હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેઓ ખેડૂતો તરીકે કામ કરતા હતા. ઘટનાની વિગતો ઇટાલીની સમાચાર એજન્સી ANSA અનુસાર, કારમાં સવાર તમામ ભારતીય નાગરિકો નજીકના ખેતીવાડી વિસ્તારમાંથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે ગંભીર અથડામણ થતા કારમાં બેઠેલા તમામ લોકો ભારે અસરગ્રસ્ત…